Webdunia - Bharat's app for daily news and videos

Install App

નીતિશે કેન્દ્ર પાસે 8922 કરોડ માંગ્યા

ભાષા
શનિવાર, 13 સપ્ટેમ્બર 2008 (11:44 IST)
બિહારનાં મુખ્યમંત્રી નીતીશકુમારે રાજ્યમાં પૂરથી અસરગ્રસ્ત બનેલાઓ 30 લાખ લોકોનાં પુર્નવાસ અને પુનઃનિર્માણ કરવા માટે 8922 કરોડ રૂપિયાનાં વિશેષ આર્થિક પેકેજની માંગ કરી છે.

નીતીશે જણાવ્યું હતું કે બિહારની સ્થિતિ અંગે વડાપ્રધાનને માહિતગાર કરવામાં આવ્યા છે. તેમજ 30 લાખ નાગરિકોની સમસ્યાથી અવગત કરાયા છે અને આ આ અસરગ્રસ્તોના પુર્નવાસ અને પુન નિર્માણ માટે રૂ.8922 કરોડની સહાય માંગી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે તટબંધ પાસે થયેલા ઘસારાને જલ્દીથી ઠીક કરવામાં આવશે. કોસી પશ્ચિમ તરફ પણ એક કેનાલ બનાવવામાં આવે. આ બાબતે જલ્દી નિર્ણય લેવાવવો જોઈએ. આ અંગે જલ્દીથી નિર્ણય લેવાય તેવી પણ તેમણે માંગ કરી છે.

વિશેષ આર્થિક પેકેજમાં કૃષિ માટે રૂ.827 કરોડ, રસ્તાનાં પુનઃનિર્માણ માટે રૂ.1305 કરોડ, સિંચાઈ માટે રૂ.1208 કરોડ, ગ્રામીણ આવાસ માટે રૂ. 4500 કરોડ તથા શહેરી વિસ્તારનાં પુનઃનિર્માણ માટે રૂ.600 કરોડનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જો કે કોસી નદીનું પાણી ઓસરી રહ્યું છે. તેથી એવી આશા છે કે ખુબ જલ્દીથી પરિસ્થિતિ કાબુમાં આવી જશે. પણ સરકારે રોગચાળો ફેલાય નહીં, તે અંગે કામ કરવાની જરૂરી છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments