Webdunia - Bharat's app for daily news and videos

Install App

નારાયણ સાંઈના સેવકના વોટ્સઅપમાં આ કેવા મેસેજ ?

Webdunia
બુધવાર, 16 ઑક્ટોબર 2013 (10:33 IST)
P.R
નારાયણ સાંઈ ફરાર છે. સૂરતની બે બહેનોએ જ્યારથી તેમના પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે ત્યારથી તેઓ પોતાના ભક્તોને પણ જોવા મળ્યા નથી, પણ તેમના સેવાદારો તરફથી જે ખુલાસા થઈ રહ્યા છે તે ચોંકાવનારા છે. પોલીસના જણાવ્યા મુજબ નારાયણ સાંઈનો એક રાજદાર પોલીસના હાથમાં આવ્યો છે. મોહિત ભોજવાની નામના આ સેવાદારની પોલીસે 12 ઓક્ટોબરના રોજ સૂરતના સિટીલાઈટ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. આજે કોર્ટમાં પોલીસે તેની બીજીવાર રિમાંડની અપીલ કરી છે. પોલીસે જે કોર્ટને બતાવ્યુ છે તે હેરાન કરનારું છે. પોલીસનુ માનીએ તો મોહિતના વોટ્સઅપ પર એવા સંદેશ મળ્યા છે જે કોઈ મોટી હત્યાના ષડયંત્ર તરફ ઈશારો કરે છે.

મોહિત જયપુરનો રહેનારો છે. મોહિત અને નારાયન સાંઈના મોબાઈલની લોકેશન પાંચ ઓક્ટોબરના રોજ જયપુરમાં મળી હતી. તેના એક દિવસ પછી મતલબ છ ઓક્ટોબરના રોજ બે બહેનોએ નારાયણ સાંઈ પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. ત્યારબાદથી જ નારાયણ સાંઈનો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો. પણ પોલીસે નારાયણ સાંઈના સેવાદાર મોહિત ભોજવાનીને પકડી લીધો. પોલીસે મોહિતની રિમાંડ વધારવાની માંગને લઈને કોર્ટમાં તેમના મોબાઈલ ફોનથી મોકલેલ કેટલાક સંદેશા બતાવ્યા. આ સંદેશ હિંસાત્મક છે. મરવા મારવાની વાત કરે છે. મોહિતે તેને પોતાના મોબાઈલના વોટ્સઅપ દ્વારા કોઈને મોકલ્યા હતા.

મોકલાયેલા સંદેશ આ મુજબ છે

1. મોકલેલ સામાન મળ્યો કે નહી, જો મળ્યો છે તો રામ-રામ, મોનિકા, નહી મળ્યો તૂ હરિ-હરિ.
2. શુ કરુ ? કોને મારુ ? કોને મારીને મારુ.
3. મને એવો સાઘક જોઈએ જેનુ દિલ મજબૂત હોય. જે જીવની પરવા ન કરતો હોય.
4. આ જ હુ કહી રહ્યો છુ કે સાઘકોની ટીમ બનાવીએ અને સૌની ફા... નાખીએ.


પોલીસના દાવામાં દમ છે કે મોહિત કોઈ મોટી યોજનાને અંજામ આપવાની કોશિશમાં છે. કોર્ટને પોલીસે જણાવ્યુ કે મોહિતે 7 ઓક્ટોબર મતલબ નારાયણ સાંઈ પર બળાત્કારનો કેસ નોંધાયા બાદ એક સંદેશ કોઈને મોકલ્યો. જેમા લખ્યુ છે કે આ બધી કમી..ની ઓફિસને જાણ હોય અને યોજના બનાવીને પુરી પાડજો. સાંભળો આપણે એક અલગ ગ્રુપ બનાવીએ જે આ કામ કરશે. એક લિસ્ટ બનાવીએ જેમા વધુ લોકોની જરૂર નથી.

પોલીસના મુજબ આ સંદેશ બાદ નારાયણ સાંઈના આ સેવાદાર મોહિતે અમિત નામના એક સાઘકને મોબાઈલ પર સંદેશ મોકલીને કહ્યુ કે આ બે માણસોનુ કામ નથી. મીટિંગ કરીશુ અને દસ લોકો મળીને આ યોજના પાર પાડશે. હવે પ્રશ્ન એ છે કે નારાયણ સાંઈનો આ સેવક મોહિત કયા કામને અંજામ આપવા માંગતો હતો. કોણે મારવાની વાત કરી રહ્યો હતો. એવા સેવકોની જરૂર કેમ હતી જે પોતાના જીવની પરવા ન કરે. હાલ પોલીસે આ સ્પષ્ટ નથી કર્યુ. પોલીસે આ સંદેશા રહસ્યમયી અને હિંસક બતાવ્યા છે. હજુ મોહિતનુ લેપટોપ જપ્ત કરવાનું બાકી છે.

પોલીસના મુજબ આ લેપટોપમાં મોહિતે ઘણા આપત્તિજનક મેલ, કે ફોટો કે વીડિયો અપલોડ કર્યા છે. આ લેપટોપની જપ્તી માટે જયપુર તેના ઘરે જવુ જરૂરી છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments