Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસનની શક્યતા

Webdunia
શનિવાર, 15 ફેબ્રુઆરી 2014 (15:38 IST)
.
P.R
દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગી શકે છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ દિલ્હી વિધાનસભાને ભંગ નહી કરવામાં આવે. પણ તેને બદલે રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવી શકે છે. મતલબ એ સ્પષ્ટ છે કે દિલ્હીમાં હાલ ચૂંટણી નહી થાય. બીજેપીએ પણ આગળની રણનીતિની જાહેરાત કરતા કહ્યુ કે તેઓ આમ આદમી પાર્ટી વિરુદ્ધ ધરણા પર બેસશે. આ ધરણા પ્રદર્શન જંતર મંતર પર 16-18 ફેબ્રુઆરી સુધી ચાલશે.

પ્રશાંત ભૂષણ બોલ્યા અમે નહોતા ઈચ્છતા કે સરકાર પડી ભાંગે

બસ 49 દિવસમાં જ સીએમની ખુરશી પરથી અરવિંદ કેજરીવાલે રાજીનામુ આપી દેતા 'આપ' ના સંસ્થાપક સભ્યોમાંથી એકૢ પ્રશાંત ભૂષણે કહ્યુ છે કે તે નથી ઈચ્છતા કે કેજરીવાલ સરકાર પડી ભાંગે. પણ કોંગ્રેસ ભાજપાએ મળીને આવી પરિસ્થિતિ ઉભી કરી કે કેજરીવાલે રાજીનામુ આપવુ પડ્યુ. હવે અરવિંદ કેજરીવાલ લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે સ્વતંત્ર થઈ ગયા છે. 'આપ' લોકસભા ચૂંટ્ણીને લઈને શનિવારે બેઠક પણ કરી રહી છે. અને શનિવારથી જ પાર્ટી ઝાડુ યાત્રાની શરૂઆત કરી રહી છે. બીજી બાજુ 'આપ' ના બાગી સાંસદ વિનોદ કુમાર બિન્નીએ ભાજપમાં જવાના સંકેત આપ્યા છે.

દિલ્હીમાં સરકાર નહી બનાવે બીજેપી - ગડકરી

દિલ્હીમાં સરકાર બનાવવાને લઈને બીજેપીએ શનિવારે પોતાના વલણને સ્પષ્ટ કર્યુ. બીજેપીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન ગડકરીએ કહ્યુ છે કે બીજેપી દિલ્હીમાં સરકાર નહી બનાવે અને તે સામાન્ય ચૂંટણી લડવી પસંદ કરશે. તેમણે કહ્યુ કે બીજેપી પાસે દિલ્હીમાં સરકાર બનાવવા માટે સ્પષ્ટ બહુમત નથી. આ પહેલા બીજેપી નેતા હર્ષવર્ધને પણ કહ્યુ હતુ કે તે રાજધાનીમાં ચૂંટણી માટે તૈયાર છે. જો કે સરકાર બનાવવાનો નિર્ણય તેમણે ઉપરાજ્યપાલ પર છોડી દીધો છે. તેમણે કહ્યુ કે રાજ્યપાલ જે નિર્ણય લેશે તે મંજૂર હશે.

કેજરીવાલ ન ગયા ઓફિસ

રાજીનામુ આપ્યા બાદ કેજરીવાલ 6 દિવસ સુધી મુખ્યમંત્રીના પદ પર કાયમ રહેશે. પણ શનિવારે તેઓ ઓફિસ નહી ગયા. ઘરથી નીકળી તેઓ સમર્થકોને મળ્યા. લોકો આજે પણ ફરિયાદ લઈને કેજરીવાલ પાસે પહોંચ્યા.

કેજરીવાલના રાજીનામા પછી આપ વિધાયક મનીષ સિસોદિયાએ શનિવારે કહ્યુ કે તે ફરીથી જનતાની વચ્ચે જશે અને કોંગ્રેસ અને બીજેપીની મિલીભગતના લોકોને જણાવશે. તેમણે કહ્યુ કે પડદા પાછળ કોંગ્રેસ અને બીજેપી એક છે. સિસોદિયાએ આરોપ લગાવ્યો કે ભ્રષ્ટાચાર દૂર કરનારા જનલોકપાલ બિલના સમર્થનમાં બેંનેમાંથી કોઈ પાર્ટી આગળ ન આવી.

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Show comments