Webdunia - Bharat's app for daily news and videos

Install App

જોધપુર મંદિરમાં 185ના મોત

ચામંુડા મંદિરમાં ભાગદોડ મચતાં બની દુ્ર્ઘટના

વેબ દુનિયા
મંગળવાર, 30 સપ્ટેમ્બર 2008 (17:26 IST)
નવરાત્રિના પહેલા દિવસે જોધપુરના ચામુંડા મંદિરમાં પહેલા દર્શનની હોડમાં ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટનામાં 185 જેટલા શ્રદ્ધાળુઓનાં મોત નીપજ્યા છે અને કેટલાય લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના મંદિરનાં બેરીકેટ્સ તુટવાથી તેમજ અફવા ફેલાવાથી ઘટી હતી.

મેહરાનગઢમાં આવેલ આ મંદિરમાં મંગળવારે સવારે 5:30 વાગ્યે અચાનક ભાગદોડ મચી ગઈ હતી. આ મંદિરની અંદર નવરાત્રિ દરમિયાન ભક્તોની ઘણી એવી ભીડ રહે છે. આ પ્રસંગે મંદિરમાં 20 હજાર લોકો હાજર હતાં. આ દુર્ઘટનાની શરૂઆત પગથિયાનાં બેરીકેટ્સ તુટી જતાં લોકોમાં ડર ફેલાયો હતો. અને, ત્યારબાદ અફવા ફેલાતાં ભીડ નીચે તરફ આવવા લાગી હતી.

પોલીસ વરિષ્ઠ અધિકારી સ્થળ પર પહોચી ગયા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ઘાયલોને જોધપુરની મહાત્મા ગાંધી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે બિનસત્તાવાર સુત્રોનાં જણાવ્યા મુજબ 185 થી વધુ લોકોનાં મોત થયા છે. પોલીસ વડાએ પણ મૃત્યુઆંક 103 હોવાનો સ્વીકાર કર્યો છે. અને હજી તે વધી શકે તેમ છે.

ઉલ્લેખનીય છે કે જોધપુરનાં ચામુંડા મંદિરમાં દરવર્ષે નવરાત્રિનાં પ્રથમ દિવસે ભક્તો દર્શન કરવા આવે છે. મંદિર પર્વત પર આવેલું છે. સોમવાર સવારે 3.30 વાગ્યાથી જ ભક્તોને ઘસારો શરૂ થઈ હતો. જો કે હાલ મંદિરનાં દર્શન બંધ કરી દેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ પહેલા હિમાચલ પ્રદેશમાં પર માતાનાં મંદિરે થયેલા ભાગદોડમાં 150 લોકોનાં મોત થયા હતાં. લોકોનો આક્ષેપ છે કે તે દુર્ઘટનામાંથી રાજસ્થાનનાં સરકારી તંત્રે કોઈ શીખ લીધી નથી..

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

Show comments