Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘાસ-ચારા ગોટાળામાં દોષી લાલુ યાદવનું સંસદ સભ્યપદ રદ

Webdunia
મંગળવાર, 22 ઑક્ટોબર 2013 (16:12 IST)
P.R
રાષ્ટ્રીય જનતા દળ પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવ અને જનતા દળના નેતા જગદીશ શર્માને આજે લોકસભાથી અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે. આ જાણકારી લોકસભા સચિવાલયના અધિકારીઓએ આપી. રાંચીમાં કેન્દ્રીય તપાસ કાર્યાલયની વિશેષ અદાલતે ચર્ચિત ઘાસ-ચારા ગોટાળા કેસમાં દોષિત ગણાયેલ બન્ને સાંસદોને સજાનું એલાન કર્યું હતું. આ પહેલા કાલે ભષ્ટ્રાચારના એક કેસમાં જેલમાં બંધ કોંગ્રેસ સાંસદ રશિદ મસૂદની રાજ્યસભા સભ્યપદ રદ્ કરવામાં આવ્યુ હતુ.

બિહારના સારણ સીટથી સાંસદ લાલૂ પ્રસાદની સંસદ સભ્યપદ રદ કરવામાં આવી છે. લાલૂ યાદવને ઘાસ-ચારા ગોટાળાથી જોડાયેલા એક કેસમાં 5 વર્ષ માટે જેલમાં બંધ છે. લાલૂએ પોતાની રાજનીતિ કારકિર્દી 1977માં શરૂ કરી હતી. તેઓ પહેલી વાર બિહારના છપરા સંસદીય સીટથી સાંસદ બન્યા હતા. પછીથી તેઓ બિહારના મુખ્યમંત્રી પણ બન્યા હતા.

ઉલ્લેખનીય છે કે, 30 સપ્ટેમ્બર 2013 રાંચીની સીબીઆઈ કોર્ટે ચારા ગોટાળામાં રાષ્ટ્રીય જનતા દળ અધ્યક્ષ લાલૂ યાદવને દોષિત ગણાવ્યા હતા. કોર્ટે 44 બીજા આરોપીઓને પણ દોષિત ગણાવ્યા. 3 ઓકટોબરે કોર્ટે તેમના 5 વર્ષની સજા સંભળાવી. ત્યારબાદથી લાલૂ બિરસા મુંડા જેલમાં બંધ છે.

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments