Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગંગાનુ શુદ્ધિકરણ કરતા પહેલા દિલ્હી શુદ્ધ કરવુ પડશે - મોદી

ગુજરાત સમાચાર

Webdunia
શનિવાર, 21 ડિસેમ્બર 2013 (10:54 IST)
P.R


યૂપીના પૂર્વોત્તરમાં ભાજપાની જમીન તૈયાર કરવા વારાણસીમાં શુક્રવારે વિજય શંખનાદ રેલીમાં નરેન્દ્ર મોદીનો અંદાજ બદલાયેલો હતો. ચાર રાજ્યોના વિધાનસભા પરિણામ બાદ મોદીની આ પહેલી રેલી હતી. જેમા તેમણે વિરોધીઓ પર હુમલો ઓછો કરીને વધુ અહેસાસ કરાવવાનો પ્રયત્ન કર્યો કે તેઓ જે કહે છે તે કરીને બતાવે છે. આ માટે તેમણે ગંગા, વણકર, બેરોજગાર વગેરેના પ્રશ્નો ઉઠાવતા તેને ગુજરાત સાથે જોડ્યો. ગુજરાતમાં સાબરમતી નદી, સૂરતના વણકરો અને નોકરી આપવાની નવી વ્યવસ્થાનુ ઉદાહરણ મુકતા એ સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો કે આવુ યૂપીમાં પણ થઈ શકે છે.

P.R

વારાણસીની રેલીમાં વિશાળ રેલીને સંબોધવાની શરૂઆત ગંગા શુદ્ધિકરણ મુદ્દે કરીને કોંગ્રેસને આડેહાથે લીધી હતી. છેલ્લા કેટલાક સમયથી ચાયવાલાનું સ્ટેટ્સ પામેલા વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ફરી ચાયવાલા બાબતે ટકોર કરતા વિરોધીઓને કહ્યું હતું કે હું ચા વેચવા તૈયાર છું પણ દેશ નહીં.ઉત્તરપ્રદેશમાં ખેડૂતોની વર્તમાન પરિસ્થિતિને સમજીને મોદીએ ખેડૂત કાર્ડ સરળતાથી રમી લીધું હતું જેમાં તેમણે કહ્યું હતું કે ઉત્તરપ્રદેશ આખા યુરોપનું પેટ ભરી શકે છે પરંતુ હવે ખેડૂતોને અહીં તેમનું પેટ ભરવું જ મુશ્કેલ બન્યું છે. યુવાનોનો ભરોસો જીતવા માટે તેમણે પોતે ખોખલા વચનો ન આપતા હોવાનો અને હું માત્ર કહેતો નથી પણ કામ કરીને બતાવુ છું કહીને ઉપસ્થિત યુવાનો તરફથી તાળીઓનો ગડગડાટ લેવામાં સફળ નીવડ્યાં હતાં.કોંગ્રેસે અનેક દાયકાઓ શુદ્ધિ શાસન કર્યુ હોવા છતાં ગંગા શુદ્ધિકરણ બાબતે કોઈ કામ થયું ન હોવાના આરોપસર તેમણે ગંગાને સંસ્કૃતિની ધારા ગણાવી ગંગાની શુદ્ધિકરણ માટે દિલ્હી શુદ્ધ કરવાની હાંકલ કરી હતી.

P.R


ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર થયા પછી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એક પછી એક રેલીઓ સતત કરી રહ્યાં છે. દરેક રેલીમાં નવો વિવાદ છેડીને કોંગ્રેસની ઉંઘ હરામ થઈ છે કે નહીં તે કોંગ્રેસ જ જણાવી શકે છે પરંતુ વારાણસીથી મોદીએ કોંગ્રેસને ટાંકી કહ્યું હતું કે અમે તેમની ઉંઘ હરામ કરી નાંખી છે. જોકે કોંગ્રેસ શરૂઆતથી જ મોદી બાબતે ગંભીર ન હોવાનું જણાવતી આવી છે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

વધુ જુઓ..

નવીનતમ

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

Show comments