Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસ ચર્ચા મંચ પર આવે - અડવાણી

વેબ દુનિયા
રવિવાર, 29 માર્ચ 2009 (12:36 IST)
કાગ્રેસના વડાપ્રધાન પદના દાવેદાર મનમોહનસિંઘે, ટેલીવિઝન પર ભાજપના તે જ પદના દાવેદાર અડવાણીની જાહેર ચર્ચાની માંગ ઠુકરાવ્યા બાદ અડવાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન ચર્ચા કરવા ન માંગતા હોય તો તેમણે પક્ષના વડા સોનિયા ગાંધીને આ કાર્ય કરવાનું સાપવું જોઈએ.

આ સંદર્ભે બોલતા અડવાણીએ જણાવ્યું હતું કે, જેમ વિદેશોમાં રાષ્ટ્રના વડાપદના દાવેદારો જાહેર ચર્ચા કરે છે તે જ રીતે આપણે ત્યાં પણ ચર્ચા થવી જોઈએ. ભાજપની જાહેર રેલીને બદલે ચૂંટણી પંચે આવી જાહેર ચર્ચા યોજવી જોઈએ. તેમ અડવાણીએ અત્રે પક્ષની જાહેર સભામાં જણાવ્યું હતું.

અડવાણીએ સપ્તાહની શરૂઆતમાં વડાપ્રધાનને જાહેર ચર્ચા કરવા પડકાર કર્યો હતો. તેનો વડાપ્રધાને ઈન્કાર કરતા અડવાણીએ તે ફરજ સોનિયાને સાપવા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આમ કરવાથી લોકો એ બાબતે નિર્ણય કરી શકશે કે વડાપ્રધાન પદ માટે સારા ઊમેદવાર કોણ છે.

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments