Webdunia - Bharat's app for daily news and videos

Install App

આંધ્રમાં લૈલાથી તારાજી, 16 મર્યા

ભાષા
શુક્રવાર, 21 મે 2010 (10:54 IST)
ચક્રવતી વાવાઝોડા લૈલાએ દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં ગુરૂવારે ભારે તારાજી સર્જી હતી. પ્રાપ્ત અહેવાલ મુજબ ઓછામાં ઓછા 16 લોકોના વાવાઝોડાના કારણે મૃત્યુ નિપજ્યાં છે અને બહોળી સંખ્યામાં લોકો ગૂમ થઈ ગયાં છે. મોટી સંખ્યામાં ગામો પાણીમાં ડુબી ગયા હોવાના પણ અહેવાલ મળ્યાં છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ અભૂતપૂર્વ નુકસાન થયું છે. પડોશી ઓરિસ્સા તરફ આગેકૂચ કરતા વાવાઝોડાએ આંધ્રપ્રદેશમાં ભારે નુકસાન પહોંચાડી દીધું છે. ભીષણ વરસાદની સાથે તોફાની પવન ફૂંકાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.

પ્રાપ્ત અહેવાલ મુંબજ કલાકે 125 કિલોમીટરની ઝડપે પ્રચંડ પવન ફુંકાતા વરસાદ પણ પડ્યો હતો. આંધ્રપ્રદેશના દક્ષિણી ભાગોમાં ભારે તારાજી થઈ છે. મોબાઈલ સંપર્કો કપાઈ ગયા છે. ટ્રેનોને રદ્દ કરવાની ફરજ પડી છે.

ઈલેક્ટ્રીસિટી અને કોમ્યુનિકેશન વ્યવસ્થા પણ ઠપ્પ થઈ ગઈ છે. અધિકારીએ કહ્યું કે, બંગાળના અખાતમાં પ્રચંડ વાવાઝોડુ જોવા મળ્યું હતું. દક્ષિણી જિલ્લા ગંતુરમાં આવેલા શહેર બાપાતલાથી આશરે 50 કિલોમીટરના અંતરે આ વાવાઝોડુ ત્રાટક્યું હતું. અનેક ગામો તેના સકંજામાં આવી ગયાં હતાં.

હવે પડોશી ઓરિસ્સામાં બેલાસોર તરફ આ વાવાઝોડુ વધી રહ્યું છે. હવામાન ખાતાના અધિકારીઓએ કહ્યું કે, હજુ પણ નુકસાનનું સંકટ તોળાઈ રહ્યું છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments