Webdunia - Bharat's app for daily news and videos

Install App

અરવિંદ કેજરીવાલ પહોંચ્યા વારાણસી, મોદી સામે લડશે કે નહી આજે થશે નિર્ણય

Webdunia
મંગળવાર, 25 માર્ચ 2014 (12:10 IST)
P.R
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ મંગળવારે ઉત્તરપ્રદેશની સાંસ્કૃતિક રાજધાની વારાણસી પહોંચી ગયા છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે બીજેપીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વારાણસીથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. કેજરીવાલે જાહેરાત કરી છે કે 25 માર્ચના રોજ બનારસમાં આયોજીત રેલી દરમિયાન લોકોને પૂછીને તેઓ નિર્ણય કરશે કે તેઓ વારાણસી સંસદીય સીટ પરથી ચૂંટણી લડશે કે નહી.

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી(આપ)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ મંગળવારે ઉત્તરપ્રદેશની સાંસ્કૃતિક રાજધાની વારાણસી પહોંચી ગયા છે. અત્રે એ ઉલ્લેખનીય છેકે બીજેપીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વારાણસીથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. કેજરીવાલે જાહેરાત કરી કે 25 માર્ચના રોજ બનારસમાં આયોજીત રેલી દરમિયાન લોકોના વિચાર જાણીને તેઓ નિર્ણય કરશે કે તેઓ વારાણસી સંસદીય સીટ પરથી ચૂંટણી લડે કે નહી.

કેજરીવાલની આ જાહેરાત પછીથી બધી રાજનીતિક દળોની નજર બેનિયા પાર્કમાં થનારી આપની રેલી પર ટકી છે. કેજરીવાલ કેટ રેલવે સ્ટેશનથી સીધા બાબા વિશ્વનાથ મંદિરના દર્શન કરવા જશે ત્યારબાદ રેલી સ્થળ પર પહોંચશે.

યૂપી ઉપરાંત દિલ્હી, બિહાર, મધ્ય્પ્રદેશ અને હરિયાણાથી સૈકડો કાર્યકર્તા રેલગાડીઓ દ્વારા પહેલાથી જ બનારસ પહોંચી ચુક્યા છે તો કેટલાક મંગળવારે સવાર સુધી પહોંચશે. આપના કાર્યકર્તા બનારસમાં રેલીને સફળ બનાવવામાં લાગી ગયા છે. આપના મીડિયા પ્રભારી ગિરી સંતે જણાવ્યુ કે અરવિંદ સવારે દિલ્હીથી શિવગંગા એક્સપ્રેસથી વારાણસી સ્ટેશન પહોંચ્યા અને પછી અહીથી તેઓ બાબા વિશ્વનાથના દર્શન કરવા નીકળી ગયા.

વિશ્વનાથ મંદિરમાં દર્શન પૂજન પછી અરવિંદ મેદાગિન પહોંચશે. જ્યા કાર્યકર્તાઓનુ નેતૃત્વ કરતા લોહટિયા, કબીરચૌરા થતા બેનિયાબાગ પહોંચશે. ગિરીના કહેવા મુજબ કેજરીવાલ બેનિયા પાર્કમાં જનસભાને સંબોધિત કરશે. ત્યારબાદ તેઓ કાર્યકર્તાઓ દ્વારા આયોજીત કરવામાં આવેલ કાર્યક્રમોમાં ભાગ લેશે.

ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન ચલાવનારા સામાજીક કાર્યકર્તાઓએ જનતાને એક વિકલ્પ આપવા માટે એક વર્ષ પહેલા 'આપ' ની રચના કરી હતી. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર મેદાનમાં ઉતરેલ આ નવી પાર્ટીએ 28 સીટો જીતી હતી.

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments