Webdunia - Bharat's app for daily news and videos

Install App

અયોધ્યા પર ગર્વ - અડવાણી

Webdunia
શનિવાર, 6 એપ્રિલ 2013 (18:07 IST)
P.R

ભાજપાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ શનિવારે પાર્ટી સમર્થકોને કહ્યુ કે અયોધ્યા આંદોલનને લઈને 'શરમ' અનુભવવાની જરૂર નથી પણ તેના પર ગર્વ કરવો જોઈએ.

અડવાણીએ અહી ભાજપા મુખ્યાલયમાં પાર્ટીના 33માં સ્થાપના દિવસ પર આયોજીત સમારંભમાં પોતાના સંબોધનમાં કહ્યુ કે તેમણે એ સ્વીકાર કરવામાં ગર્વ થાય છે કે તેમના દળે રામ મંદિર અને અયોધ્યાનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યુ કે આ ફક્ત રાજનીતિક નહી પરંતુ સાંસ્કૃતિક મુદ્દો છે.

સપા નેતા મુલાયમસિંહ દ્વારા તેમના વખાણ કરવાનો ઉલ્લેખ કરતા કહ્યુ કે જ્યારે લોકોએ મુલાયમસિંહના મોઢેથી મારી પ્રશંસા સાંભળી તો તેમને ચિંતા થઈ. મારુ માનવુ છે કે જો તમે સાચી વાત કરશો તો દુનિયા તેનો સ્વીકાર કરશે. શરમ ન કરો, હીન ભાવના મનમાં વિકસિત ન કરશો.

જો આપણે અયોધ્યા મંદિર મુદ્દામાં વિશ્વાસ કરીએ છીએ અને તેને માટે આંદોલન ચલાવ્યુ તો એ માટે શરમ ન આવવી જોઈ, ક્યારેય નહી. આપણે તો તેના પર ગર્વ કરવો જોઈએ. મુલાયમે ગયા મહિને અડવાણીને ઈમાનદાર વ્યક્તિ બતાવતા કહ્યુ હતુ કે ભાજપાના વરિષ્ઠ નેતા ક્યારેય ખોટુ નથી બોલતા.

અડવાણીએ કહ્યુ કે તેમણે લોકો દ્વારા એવુ કહેવા પર કોઈ વાંધો નથી કે માત્ર અયોધ્યા અને રામ મંદિર આંદોલનના બળ પર ભાજપાએ વધુ સમર્થન મેળવ્યુ છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments