Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદીને હરાવવા વિરોધીઓ હવે એનજીઓની મદદ લેશે

Webdunia
બુધવાર, 29 ફેબ્રુઆરી 2012 (10:35 IST)
P.R
ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીએ કહ્યું છે કે, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વિરોધીઓ તેમને રાજનૈતિક રીતે હરાવી ન શકતાં હવે તેઓએ એનજીઓ અને મીડિયાના એક વર્ગનો સહારો લેવાનું શરૂ કર્યું છે. આને ગુજરાતની કમનસીબી ગણાવતાં જેટલીએ કહ્યું કે, આ નકારાત્મક ઊર્જા સાથે પાર પાડવા માટે વધુ એક લડાઇ લડવી પડશે.

ગોધરાકાંડનો એક દસકો વીતવા પર મોદીના સમર્થનમાં ઉતરેલા જેટલીએ કહ્યુંકે આ સમય પડકારભર્યો રહ્યો છે. આ એક દસકામાં ગુજરાતની કાયાપલટ થઇ છે. જીડીપી બે આંકડામાં જતો રહ્યો અને દેશ-દુનિયામાં ગુજરાતનો વિકાસ એક આદર્શ બનીને ઉભરી આવ્યો. પ્રાથમિક સુવિધાઓથી માંડીને દરેક ક્ષેત્રમાં રાજયએ પ્રગતિ કરી છે.

આમ છતાં કેટલાક લોકો એવા છે કે જેઓ ગુજરાતના ભવિષ્યેનો રોડમેપ હજુ પણ 2002ના સમયમાં જ જકડી રાખવા માગે છે. તેથી હવે આવા લોકો અને ગુજરાતને સમૃદ્ધ જોવાવાળા વર્ગ વચ્ચે એક સંઘર્ષ થશે. તેમણે એ પણ કહ્યું કે કોઇપણ પ્રકારનાં રમખાણો કે ઉન્માદ હંમેશા એક મોટો ઘા છોડી જાય છે. ગુજરાતનાં રમખાણોનો આ ઇતિહાસ કમનસીબ હતો પણ મોદીના પ્રયાસોથી ગુજરાત તેને ભૂલાવીને દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે.

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments