Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગ્લોબલ વોર્મિંગથી પૂર્વી તટને ખતરો

સદીના અંત સુધીમાં પાણીમાં ગરકાવ થશે

વાર્તા
ગુરુવાર, 16 ઑક્ટોબર 2008 (19:07 IST)
કેન્દ્ર વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા એક અધ્યયનમાં ખુલાસો થયો છે કે, દેશના પૂર્વી તટના નીચેલા ભાગો આગામી સદી સુધીમાં પાણીમાં ગરકાવ થઇ જશે.

અધ્યયનમાં એવી ભવિષ્યવાણી કરાઇ છે કે પૃથ્વી પર વધતા તાપમાનને લીધે આગામી વર્ષોમાં ઉડીસાના જગતસિંહપુર અને કેન્દ્રપાડા, આંધ્રપ્રદેશના નૈલ્લોર તથા તામિલનાડુમાં નાગપટ્ટીનમ શહેર સમુદ્રમાં ડુબી જશે.

વાતાવરણમાં આવી રહેલા બદલાવથી વિભિન્ન ક્ષેત્રો પર અસરને લઇને કરાયેલા અધ્યયન અનુસાર બંગાળની ખાડીમાં એક મીટર જળસ્તર વધવાની શક્યતા છે. આનો અર્થ એ છે કે, દેશમાં પૂર્વી તટના 5764 ચો.કિમી વિસ્તારને નુકશાન થવાની શક્યતા છે.

આગામી સદી સુધી ગ્લોબલ વોર્મિંગથી એકમાત્ર તટીય પ્રદેશ જ પાણીમાં ડૂબશે એવું નથી પરંતુ 70 લાખથી વધુ લોકો બેઘર બનશે. સાથોસાથ 4 હજાર 200 કિ.મી લાંબી સડકો નષ્ટ થઇ જશે. આ ઉપરાંત તટીય વિસ્તારોને આવનાર સમુદ્રી તોફાનોને લઇને સંવેદનશીલ માનવામાં આવે છે.

રિપોર્ટ અનુસાર આ સદીના મધ્ય સુધી ભારતીય ઉપમહાદ્વીપથી મહાસાગરીય વિસ્તાર વધુ ગરમ થશે અને તાપમાનમાં 1.5થી 2 ડિગ્રી સે. સુધી તાપમાનમાં વૃધ્ધિ થશે. જ્યારે સદીના અંત સુધીમાં આ તાપમાનમાં 2.3 થી 3.5 ડિ.સેનો વધારો નોંધાશે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments