Webdunia - Bharat's app for daily news and videos

Install App

લેબનનસ્થિત ભારતીય દૂતાવાસે ભારતીયો માટે એડવાઇઝરી જાહેર કરી

Webdunia
ગુરુવાર, 1 ઑગસ્ટ 2024 (10:33 IST)
લેબનનસ્થિત ભારતીય દૂતાવાસે ભારતીયો માટે એડવાઇઝરી જાહેર કરી છે. ભારતીયોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

<

The Indian Embassy in Beirut issues a travel advisory for Indian citizens in #Lebanon.@IndiaInLebanon pic.twitter.com/wN47yYXbw5

— Press Trust of India (@PTI_News) August 1, 2024 >
 
બુધવારે ઇઝરાયલે લેબનનના પાટનગર બેરૂતમાં હિઝબુલ્લાહના કમાન્ડર ફૌદ શુક્રને મારવાનો દાવો કર્યો હતો. ત્યારબાદ ઈરાનના પાટનગર તહેરાનમાં હમાસના ટૉપ નેતા ઇસ્માઇલ હાનિયાની હત્યાના અહેવાલો સામે આવ્યા હતા.
 
માનવામાં આવે છે કે મધ્ય-પૂર્વમાં સંઘર્ષ વધશે. આ વિશે અમેરિકાના રક્ષા મંત્રી લૉયડ ઑસ્ટિનને પણ સવાલ પૂછવામાં આવ્યો હતો.
 
તેમણે કહ્યું કે, "મને નથી લાગતું કે મધ્ય-પૂર્વમાં યુદ્ધની જરૂર પડે."
 
લેબનનસ્થિત ભારતીય દૂતાવાસે લોકોને કહ્યું કે, "વધતા તણાવને કારણે ભારતીય નાગરિકોએ જરૂર ન હોય તો લેબનનનો પ્રવાસ ટાળવો જોઈએ."
 
લેબનનમાં રહેતા ભારતીયોને સાવચેતી રાખવા, કારણ વગર હરવા-ફરવાથી બચવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત તેમને ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવાની સલાહ દૂતાવાસે આપી છે.
 
ભારતીય દૂતાવાસે ઇમરજન્સી નંબર પણ જાહેર કર્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દીકરી તેના પ્રેમી સાથે રૂમમાં સેક્સ કરી રહી હતી, પછી માતાએ તેને જોઈ અને તે પણ અંદર ગઈ, પછી પ્રેમીએ દીકરીને છોડીને માતા સાથે કર્યું

મુંબઈઃ અંધેરી લોખંડવાલા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, રાહત કાર્ય ચાલુ

2 વર્ષની માસૂમ બાળકી બોરવેલમાં ફસાઈ, બચાવ કામગીરી બે વખત નિષ્ફળ

સોનાના ભાવમાં ધરખમ ઘટાડો, ચાંદી પણ લપસી, તમારા શહેરના નવા ભાવ તરત જ ચેક કરો

મોદી કેમ ઈચ્છે છે વન નેશન-વન ઇલેક્શન ? આ કેવી રીતે કામ કરશે? શું હશે તેની રૂપરેખા, જાણો તેના ફાયદા અને નુકશાન

આગળનો લેખ
Show comments