Webdunia - Bharat's app for daily news and videos

Install App

હજુ પણ આતંકવાદની સાથે પાક, બોલ્યા - પુલવામાં હુમલા માટે જૈશ જવાબદાર નથી

Webdunia
શનિવાર, 2 માર્ચ 2019 (12:53 IST)
. ભારતીય પાયલટ અભિનંદનને ભારત પરત મોકલવાની સાથે જ પાકિસ્તાને પોતાની દગાબાજી ફરીથી બતાવી દીધી.  પાક એ પુલવામાં હુમલામાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના રોલને નકારી દીધુ છે.    પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ વિદેશ મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ કે પુલવમાં હુમલા માટે જૈશ જવાબદાર નથી. શાહ મહેમૂદ કુરૈશીએ કહ્યુ કે જો જૈશ દ્વારા આ હુમલાની જવાબદારી લેવાની વાત કહેવામાં આવી રહી છે તેમા કન્ફ્યુજન છે. 
 
તેણે કહ્યુ કે જૈશએ ક્યારેય આ હુમલાની જવાબદારી લીધી નથી. કુરૈશીએ કહ્યુ, નહી તેણે આ હુમલાની જવાબદારી નથી લીધી. તેમા એક ભ્રમની સ્થિતિ છે. ભ્રમ એ છેકે જૈશના નેતૃત્વએ આ મામલામાં આવુ નથી કહ્યુ.  શાહ મહેમૂદ કુરૈશી સાથે જ્યારે એક ઈંટરવ્યુ દરમિયાન પૂછવામાં આવ્યુ કે હુમલા બાદ જૈશ એ પોતે જ કહ્યુ હતુકે તે આ માટે જવાબદર છે. વિદેશી મીડિયા સાથે ઈંટરવ્યુ દરમિયાન કુરૈશી સંપૂર્ણ રીતે જૈશને બચાવવાની કોશિશ કરી. ઉલ્લેખનીય છે કે પુલવામાં હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થઈ ગયા હતા. આ હુમલાના તરત જ પછી જૈશએ એક વીડિયો રજુ કરી આ હુમલાની જવાબદારી લીધી હતી. ઉલ્લેખનીય છે કે શુક્રવારે શાહ મહેમૂદ કુરૈશીએ સીએનએનને આપેલ એક ઈંટરવ્યુમાં માન્યુ હતુ કે જૈશના સરગના મૌલાના મસૂદ અઝર પાકિસ્તાનમાં જ હાજર છે. 
 
કુરૈશીએ કહ્યુ હતુ કે મૌલાના મસૂદ અઝહર ખૂબ જ બીમાર છે. તેની બીમારી એટલી ગંભીર છે કે તેઓ ઘરમાંથી બહાર પણ નથી નીકળી શકતા.  તેમણે કહ્યુ હતુ કે જો ભારત મૌલાના મસૂદ અઝહર વિરુદ્ધ એવા પુરાવા આપે છે જે પાકિસ્તાનની કોર્ટને માન્ય હોય તો પાકિસ્તાન મસૂદ અઝહર પર કાર્યવાહી કરશે. શાહ મહેમૂદ કુરૈશીએ બહાવલપુર સ્થિત મદરસાનો ઉલ્લેખ કરતા કહ્યુ કે ભારત અને  દુનિયાના કેટલાક દેશ એ મદરસેને ટ્રૈનિગ કૈપનુ નામ આપી રહ્યા છે. 
 
કુરૈશીએ કહ્યુ કે ત્યા એક શાળા છે. મીડિયાને ત્યા લઈ જવામાં આવ્યા હતા અને એ લોકોએ જે જોયુ તે દુનિયાની સામે છે. કુરૈશીએ એકવાર ફરીથી પાકિસ્તાનના જૂઠ્ઠાણાને દોહરાવ્યુ છે કે પાકિસ્તાનમાં નવી સરકાર છે અને અમારી નવી નીતિ છે કે અમે અમારી ધરતનો ઉપયોગ આતંકી ગતિવિધિઓ માટે નહી થવા દઈએ. ભલે તે ભારત કેમ ન હોય. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Play School Admission Age - બાળકોને પ્લે સ્કૂલમાં મોકલવાની આ યોગ્ય ઉંમર છે, પહેલા તમારા બાળકને આ મૂળભૂત કૌશલ્યો શીખવો

Child Story- ઉંદર અને બિલાડી ની વાર્તા/ બિલાડીના ગળે ઘંટડી બાંધે કોણ

Sugarcane Juice- શેરડી વિના ઘરે જ શેરડીનો રસ કેવી રીતે બનાવવો

સાઉથ ઈંડિયન ખીચડી

ડૉક્ટર મુજબ જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે કેવું લાગે છે, દુખાવો ક્યાં થાય છે, હાર્ટ એટેકનો દુખાવો કેવી રીતે સમજવો?

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

ગુજરાતી જોક્સ -દારૂડિયાનુ મોત

ડેબ્યુ ફિલ્મ ફ્લોપ થઈ તો 1 વર્ષ ઘરમાં કેદ રહ્યો સુપરસ્ટારનો પુત્ર, બોલ્યો - ચેક બાઉંસ થઈ ગયો, લાગ્યુ દુનિયા..

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

આગળનો લેખ
Show comments