Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાનઃ પૂર્વ PM ઈમરાન ખાનની ધરપકડ કરવા પોલીસ પહોચી તેમના ઘરે, મરિયમ નવાઝે આપી ધમકી

Webdunia
મંગળવાર, 14 માર્ચ 2023 (18:39 IST)
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના પ્રમુખ ઈમરાન ખાનના ઘરની બહાર પોલીસ પહોંચી ગઈ છે. પોલીસ ગમે ત્યારે તેમની ધરપકડ કરી શકે છે. ઈમરાન ખાનના સમર્થકોએ પોલીસ ટીમ પર પથ્થરમારો કર્યો હતો. પાકિસ્તાનની ન્યૂઝ એજન્સી ડોન અનુસાર, સશસ્ત્ર પોલીસની એક ટીમ નિવાસની બહાર પહોંચી ગઈ છે, જે ગમે તે ક્ષણે તેમની ધરપકડ કરી શકે છે.  ઈમરાન ખાન પહેલાથી જ તોશાખાના કેસમાં કોર્ટમાં સુનાવણીનો સામનો કરી રહ્યા હતા અને હવે તેમના પર મહિલા જજ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને ધમકાવવાનો આરોપ લાગ્યો છે. આ કેસમાં કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ જારી કરીને પોલીસને તેની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે.
 
પીટીઆઈના વરિષ્ઠ નેતા ફારૂક હબીબે પત્રકારોને જણાવ્યું હતું કે ગમે તે થાય, ઈમરાન ખાન બનાવટી કેસમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ નહીં કરે. હબીબે કહ્યું, “ઈસ્લામાબાદ હાઈકોર્ટે આજે મહિલા જજને ધમકાવવાના કેસમાં ધરપકડ વોરંટને સસ્પેન્ડ કરી દીધું છે. ચાલો જોઈએ કે પોલીસ હવે શું નવું વોરંટ લઈને આવી છે." ઈસ્લામાબાદ પોલીસના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે તેમની ટીમ તોશાખાના કેસમાં ખાનની ધરપકડ કરવા માટે અહીં છે.
 
મરિયમ નવાઝે ટ્વીટ કર્યું છે કે જો આજે કોઈ પોલીસકર્મી ઘાયલ થશે તો તેના માટે માત્ર ઈમરાન ખાન જ જવાબદાર રહેશે. પોલીસ પોતાનું કામ કરી રહી છે.
 
એક તરફ, શહેબાઝ શરીફ સરકાર ઈમરાન ખાનને જેલમાં ધકેલી દેવાની કોશિશ કરી રહી છે, પરંતુ પૂર્વ વડાપ્રધાને ઉદ્ધતાઈભર્યું વલણ અપનાવીને મંગળવારે લાહોરમાં એક મોટી રેલી યોજીને આડકતરી રીતે ન્યાયતંત્રની સાથે સાથે સરકાર પર પણ પ્રહારો કર્યા છે. . પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીના અધ્યક્ષ ઈમરાન ખાને આગામી રવિવારે તેનાથી પણ મોટી રેલીનું આયોજન કરવાની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ અનુસાર 19 માર્ચે લાહોરમાં મિનાર-એ-પાકિસ્તાનની સામે 'ઐતિહાસિક' રેલીનું આયોજન કરવામાં આવશે.
 
 
બે કેસમાં ઈમરાન ખાનની ધરપકડ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. આમાંથી એક કેસ જજને કથિત રીતે ધમકાવવાનો છે. બીજો તોશાખાનાનો મામલો છે, જેમાં આરોપ છે કે ઈમરાન ખાને વડાપ્રધાન તરીકે મળેલી ભેટો વેચી દીધી હતી. ઈસ્લામાબાદની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે જજને ધમકી આપવા બદલ ખાન વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. 
 
 
ઈમરાન ખાન ન્યાયાધીશને ધાકધમકી અને તોશાખાના કેસમાં વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર થવાનું ટાળી રહ્યો છે. તેમણે અંગત હાજરીમાંથી મુક્તિ મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ ઈસ્લામાબાદના સિવિલ જજે આ અરજી ફગાવી દીધી છે. તેમજ જજે પોલીસને આદેશ આપ્યો છે કે તેઓ 29 માર્ચ પહેલા ઈમરાન ખાનને કોર્ટમાં હાજર કરે. આ આદેશ બાદ ઈસ્લામાબાદ પોલીસની એક ટીમ લાહોર મોકલવામાં આવી છે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments