Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાનઃ પૂર્વ PM ઈમરાન ખાનની ધરપકડ કરવા પોલીસ પહોચી તેમના ઘરે, મરિયમ નવાઝે આપી ધમકી

imran khan
Webdunia
મંગળવાર, 14 માર્ચ 2023 (18:39 IST)
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના પ્રમુખ ઈમરાન ખાનના ઘરની બહાર પોલીસ પહોંચી ગઈ છે. પોલીસ ગમે ત્યારે તેમની ધરપકડ કરી શકે છે. ઈમરાન ખાનના સમર્થકોએ પોલીસ ટીમ પર પથ્થરમારો કર્યો હતો. પાકિસ્તાનની ન્યૂઝ એજન્સી ડોન અનુસાર, સશસ્ત્ર પોલીસની એક ટીમ નિવાસની બહાર પહોંચી ગઈ છે, જે ગમે તે ક્ષણે તેમની ધરપકડ કરી શકે છે.  ઈમરાન ખાન પહેલાથી જ તોશાખાના કેસમાં કોર્ટમાં સુનાવણીનો સામનો કરી રહ્યા હતા અને હવે તેમના પર મહિલા જજ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને ધમકાવવાનો આરોપ લાગ્યો છે. આ કેસમાં કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ જારી કરીને પોલીસને તેની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે.
 
પીટીઆઈના વરિષ્ઠ નેતા ફારૂક હબીબે પત્રકારોને જણાવ્યું હતું કે ગમે તે થાય, ઈમરાન ખાન બનાવટી કેસમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ નહીં કરે. હબીબે કહ્યું, “ઈસ્લામાબાદ હાઈકોર્ટે આજે મહિલા જજને ધમકાવવાના કેસમાં ધરપકડ વોરંટને સસ્પેન્ડ કરી દીધું છે. ચાલો જોઈએ કે પોલીસ હવે શું નવું વોરંટ લઈને આવી છે." ઈસ્લામાબાદ પોલીસના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે તેમની ટીમ તોશાખાના કેસમાં ખાનની ધરપકડ કરવા માટે અહીં છે.
 
મરિયમ નવાઝે ટ્વીટ કર્યું છે કે જો આજે કોઈ પોલીસકર્મી ઘાયલ થશે તો તેના માટે માત્ર ઈમરાન ખાન જ જવાબદાર રહેશે. પોલીસ પોતાનું કામ કરી રહી છે.
 
એક તરફ, શહેબાઝ શરીફ સરકાર ઈમરાન ખાનને જેલમાં ધકેલી દેવાની કોશિશ કરી રહી છે, પરંતુ પૂર્વ વડાપ્રધાને ઉદ્ધતાઈભર્યું વલણ અપનાવીને મંગળવારે લાહોરમાં એક મોટી રેલી યોજીને આડકતરી રીતે ન્યાયતંત્રની સાથે સાથે સરકાર પર પણ પ્રહારો કર્યા છે. . પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીના અધ્યક્ષ ઈમરાન ખાને આગામી રવિવારે તેનાથી પણ મોટી રેલીનું આયોજન કરવાની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ અનુસાર 19 માર્ચે લાહોરમાં મિનાર-એ-પાકિસ્તાનની સામે 'ઐતિહાસિક' રેલીનું આયોજન કરવામાં આવશે.
 
 
બે કેસમાં ઈમરાન ખાનની ધરપકડ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. આમાંથી એક કેસ જજને કથિત રીતે ધમકાવવાનો છે. બીજો તોશાખાનાનો મામલો છે, જેમાં આરોપ છે કે ઈમરાન ખાને વડાપ્રધાન તરીકે મળેલી ભેટો વેચી દીધી હતી. ઈસ્લામાબાદની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે જજને ધમકી આપવા બદલ ખાન વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. 
 
 
ઈમરાન ખાન ન્યાયાધીશને ધાકધમકી અને તોશાખાના કેસમાં વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર થવાનું ટાળી રહ્યો છે. તેમણે અંગત હાજરીમાંથી મુક્તિ મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ ઈસ્લામાબાદના સિવિલ જજે આ અરજી ફગાવી દીધી છે. તેમજ જજે પોલીસને આદેશ આપ્યો છે કે તેઓ 29 માર્ચ પહેલા ઈમરાન ખાનને કોર્ટમાં હાજર કરે. આ આદેશ બાદ ઈસ્લામાબાદ પોલીસની એક ટીમ લાહોર મોકલવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હાર્ટ એટેકના શરૂઆતના 3 લક્ષણો શું છે? હાર્ટ એટેક આવે તો તાત્કાલિક શું કરવું જોઈએ આવો જાણો ?

Jya Jya Nazar Mari Thare - જ્યા જ્યા નજર મ્હારી ઠરે, યાદી ભરી ત્યાં આપની

દહી કે છાશ, ગરમીની ઋતુમાં આરોગ્ય માટે શું ખાવું લાભકારી ?

Deemak Control Hacks - ભેજવાળો ઉનાળો આવે તે પહેલા કરો આ 5 કામ, નહીં તો ઉધઈ તમારા ફર્નિચરને કચરા કરી નાખશે

બાળ વાર્તા: ઉંદર અને સિંહ

વધુ જુઓ..

નવીનતમ

આ અભિનેત્રી ધર્મેન્દ્રને પોતાના સસરા માનતી હતી, સ્ક્રીન પર કર્યો તેમની સાથે રોમાન્સ, બની હતી જિતેન્દ્રની ઓન-સ્ક્રીન પત્ની

ગ્રાઉંડ જીરો રિવ્યુ - યોગ્ય સમય પર આવી છે ઈમરાન હાશમીની ફિલ્મ, ગુમનામ હીરોને મળી ઓળખ

ડાયવોર્સના સમાચાર વચ્ચે દિવ્યાંકા ત્રિપાઠી-વિવેક કરી રહ્યા છે બેબી પ્લાનિંગ, કપલે મૌન તોડ્યુ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

આગળનો લેખ
Show comments