Webdunia - Bharat's app for daily news and videos

Install App

Israel Hamas War - ઈઝરાયેલે 24 કલાકમાં હમાસની 400 સ્થાનો પર બોમ્બમારો કર્યો, ડેપ્યુટી કમાન્ડર સહિત 700 લોકોના મોત

Webdunia
બુધવાર, 25 ઑક્ટોબર 2023 (07:37 IST)
Israel Hamas War: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ ચાલુ છે. હતાશ ઇઝરાયલે ગાઝામાં હમાસના ટાર્ગેટ પર તેના હુમલા વધુ તીવ્ર કર્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન ઈઝરાયેલી સેનાએ ગાઝા પટ્ટીમાં હમાસના 400થી વધુ સ્થાનો પર બોમ્બમારો કર્યો છે. આ બોમ્બ ધડાકામાં 700 થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. હમાસના ત્રણ ડેપ્યુટી કમાન્ડર સહિત સેંકડો પેલેસ્ટિનિયન નાગરિકો માર્યા ગયા છે.
 
બોમ્બ ધડાકામાં હમાસની ટનલ થઈ નષ્ટ 
મળતી માહિતી મુજબ ગાઝામાં 24 કલાકમાં 704 લોકોના મોત થયા છે. ઇઝરાયલે મસ્જિદોમાં બનેલા હમાસના ઘણા કમાન્ડ સેન્ટરોને તોડી પાડ્યા હતા. એક ટનલ પણ નષ્ટ કરવામાં આવી હતી, જેના દ્વારા આતંકવાદીઓ દરિયાઈ માર્ગે ઈઝરાયેલમાં ઘૂસણખોરી કરતા હતા. ગાઝામાં સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ઈઝરાયેલના હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં 5,791 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. જેમાંથી છેલ્લા 24 કલાક દરમિયાન થયેલા હુમલામાં 704 લોકોના મોત થયા છે. મંત્રાલયે એમ પણ કહ્યું કે મૃતકોમાં 2360 બાળકો અને 1100થી વધુ મહિલાઓનો સમાવેશ થાય છે.
 
પેટ્રોલ સ્ટેશન પર પણ બોમ્બ વિસ્ફોટ, રહેણાંક ઇમારતોને પણ નુકશાન 
તે જ સમયે, અધિકારીઓએ જણાવ્યું હતું કે બોમ્બ વિસ્ફોટના કારણે એક દિવસમાં 15 મકાનો જમીન પર ધસી ગયા હતા. ખાન યુનિસમાં પેટ્રોલ સ્ટેશન પર થયેલા બોમ્બ વિસ્ફોટમાં એક પરિવારના કેટલાક સભ્યો સહિત અનેક લોકો માર્યા ગયા છે. મંગળવારે ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં અનેક રહેણાંક ઈમારતોનો નાશ થયો હતો અને ઘણા પરિવારો કાટમાળ નીચે દટાઈ ગયા હતા, સ્થાનિકોના જણાવ્યા મુજબ.
 
અમે હમાસનો સંપૂર્ણ નાશ કરીને જ મરીશું: નેતન્યાહુ
બીજી તરફ, ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ મંગળવારે ફરી એકવાર કહ્યું કે તેઓ આતંકવાદી સંગઠન હમાસને સંપૂર્ણ રીતે નષ્ટ કરીને જ મૃત્યુ પામશે. આ દરમિયાન ચીફ ઓફ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ હાજી હલેવીએ સ્પષ્ટ કહ્યું કે અમે ગાઝામાં ગ્રાઉન્ડ એટેક માટે તૈયાર છીએ. બંધકોની મુક્તિ માટેની વાટાઘાટોમાં ઇજિપ્ત અને કતાર મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ઇઝરાયેલના વિદેશ પ્રધાન એલી કોહેને 7 ઓક્ટોબરના હમાસના હુમલાના જવાબમાં ગાઝા પરના ક્રેકડાઉનને રોકવાના કોલને નકારી કાઢ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments