Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાનમાં મોંઘવારી બેકાબૂ, મંત્રીએ કહ્યું ઓછું ખાઓ

Webdunia
મંગળવાર, 12 ઑક્ટોબર 2021 (07:58 IST)
પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટિસ્તાન મામલાના સંઘીય મંત્રી અલી અમીન ગંડાપુરે વધતી મોંઘવારીને કારણે 'પાકિસ્તાનના લોકોને ચામાં ઓછી ખાંડ નાખવા અને રોટલી ઓછી ખાવાની' સલાહ આપી છે.
 
પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં એક સભાને સંબોધિત કરતા તેમણે મોંઘવારી પર થયેલી એક ચર્ચામાં ટિપ્પણી કરતા કહ્યું કે, "જો હું ચામાં ખાંડના સો દાણા નાખતો હોઉ અને નવ દાણા ઓછાં નાખું તો શું તે ઓછી મીઠી થશે?"
 
પાકિસ્તાનમાં સંઘીય મંત્રી અલી અમીન ગંડાપુરે વધતી મોંઘવારીને કારણે 'પાકિસ્તાનના લોકોને ચામાં ઓછી ખાંડ નાખવા અને રોટલી ઓછી ખાવાની' સલાહ આપી છે.
 
તેમણે કહ્યું, "શું આપણે આપણા દેશ માટે, પોતાની અત્મનિર્ભરતા માટે આટલી કુરબાની ન આપી શકીએ? જો હું રોટલીના સો કોળિયા ખાઉં છું તો તેમાં નવ કોળિયા ઓછા ન કરી શકું?''
 
સોશિયલ મીડિયા યૂઝર્સ તેમના ભાષણના આ વીડિયોને શૅર કરીને તેની ટીકા કરી રહ્યા છે.
 
જોકે આ પ્રથમ વખત નથી જ્યારે મંત્રીઓ અથવા જનપ્રતિનિધીઓએ જનતાને આવી સલાહ આપી છે. હાલમાં જ સત્તારૂઢ પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ)ના જ નેશનલ ઍસેમ્બલીના સભ્ય રિયાઝ ફતયાનાએ પણ અલી અમીન ગંડાપુર જેવી જ સલાહ આપી હતી.
 
ભૂતકાળ પર નજર કરીએ તો પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) સહિત કેટલીક પાર્ટીઓના નેતા આવી વાતો કરતા રહે છે. પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે પાકિસ્તાનની જનતાને 'ઓછી રોટલી ખાવાની' સલાહ આપી હતી.
 
1998માં જ્યારે પાકિસ્તાને પરમાણુ પરીક્ષણ કર્યું હતું ત્યારે તત્કાલીન વડા પ્રધાન નવાઝ શરીફે સ્વીકાર કર્યું હતું કે પાકિસ્તાનને અમેરિકા અને બાકી દુનિયા તરફથી મુશ્કેલ આર્થિક પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે.
 
ટીવી અને રેડિયા પર જનતાને સંબોધિત કરતા લોકોને ચેતી જવાની સલાહ આપતા કહ્યું, "લોકો પોતાની કમર કસી લે અને માત્ર એક ટંકનું ભોજન કરવા માટે તૈયાર થઈ જાય અને આ મુશ્કેલીમાં પણ તમારી સાથે રહીશ."
 
તેમની પાર્ટી અનેક વખત સત્તામાં આવ્યા પછી બચત અભિયાન ચલાવી ચૂકી છે. પીટીઆઈ સરકારે શરૂઆતના દિવસોમાં જ બચત અભિયાનની જાહેરાત કરી હતી.
 
જોકે, શું સરકાર માટે લોકોને બચત કરવા અથવા 'ઓછી રોટલી ખાવા'ની સલાહ આપવી ઉચિત છે?
 
પાકિસ્તાનમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇન્સિટ્યૂટ (એસજીપીઆઈ) ઇસ્લામાબાદના અર્થશાસ્ત્રી ડૉક્ટર સાજિદ અમીન કહે છે કે આ પ્રકારની સલાહ આપવી ગરીબોની મજાક ઉડાડવા સમાન છે.
 
તેમના મુજબ બચત કરવાની સલાહ અથવા અભિયાન ક્યારેય મોંઘવારીનું સમાધાન નથી સાબિત થયાં અને ક્યારેય ભવિષ્યમાં પણ નહીં થાય.
 
તેઓ કહે છે કે "સરકારનું કામ સામાન્ય લોકોની ખરીદશક્તિ વધારવા અથવા તેની સ્થિતિમાં સુધાર કરવાનું છે."
 
જો કે પ્રશ્ન એ છે કે શું વૈશ્વિક અને રાષ્ટ્રીય સ્તર પર વર્તમાન હાલતમાં મોંઘવારી પર કાબૂ મેળવવો સરકારના હાથમાં છે?
 
ડૉક્ટર સાજિદ અમીન કહે છ કે આની માટે સૌથી પહેલાં આ સમજવું જરૂરી છે કે હાલના દિવસોમાં પાકિસ્તાનમાં મોંઘવારી રેકૉર્ડ સ્તર પર પહોંચવાનું શું કારણ છે.

પાકિસ્તાનમાં મોંઘવારી વધારે કેમ છે?
 
અર્થશાસ્ત્રી ડૉક્ટર સાજિદ અમીન અનુસાર પાકિસ્તાનમાં મોંઘવારીમાં હાલમાં થયેલી વૃદ્ધિના ત્રણ મુખ્ય કારણ છે. વિશ્વ બજારમાં વસ્તુઓના ભાવમાં વૃદ્ધિ, પાકિસ્તાની રૂપિયાની કિંમતમાં કમી અને હાલમાં જ સરકાર તરફથી લાગુ કરવામાં આવેલી ટૅક્સ નીતિઓ.
 
ત્રીજા પૉઇન્ટથી સ્પષ્ટ છે કે તેમણે કહ્યું કે "પાકિસ્તાનમાં સરકાર રાજસ્વ એટલે આવકના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ઈંધણ જેવી વસ્તુઓ પર ટૅક્સ વધારે છે જેનાથી ભાવમાં વૃદ્ધિ થાય છે."
 
આ રીતે દૈનિક જરૂરિયાતની જે વસ્તુઓમાં ઈંધણ વપરાય છે, સ્પષ્ટ છે કે તેમની કિંમત વધી જાય છે. પાકિસ્તાનમાં હાલમાં જ ઈંધણના ભાવ વધ્યા છે.
 
તો શું સરકાર તેમને નિયંત્રિત કરી શકે છે?
 
ડૉક્ટર સાજિદ અમીન કહે છે, ''આ કારકો પર સરકારનું કોઈ નિયંત્રણ નથી.''
 
તેઓ કહે છે કે વૈશ્વિક બજારમાં આનાથી વિપરીત ભાવ વધી રહ્યા છે અને તેના વધવા અથવા ઘટવાથી પાકિસ્તાન સરકારનો કોઈ કંટ્રોલ નથી.
 
બીજી તરફ પાકિસ્તાનનું આયાતનું બિલ વધતું જાય છે. ડૉક્ટર સાજિદ અમીન અનુસાર પાકિસ્તાન એક નેટ ઇમ્પોર્ટર છે જેનો અર્થ છે કે તેનો કુલ આયાત તેના કુલ નિકાસથી વધારે છે. અને પાકિસ્તાન ઘઉં, ખાંડ જેવી ખાદ્યવસ્તુઓનો પણ આયાત કરે છે. એટલે જ્યારે સુધી આ બિલ અને વેપાર ખાધમાં કમી નહીં આવે ત્યાં સુધી રૂપિયાની કિંમતમાં પણ સુધારની આશા છે.
 
રાજસ્વ વધારવા માટે સરકારે ઈંધણ, વીજળી અને ગૅસ પર ટૅક્સ વધારવો પડે છે.
 
"બીજું, લૉનની નવી કિસ્ત માટે પાકિસ્તાનને ફરી એક વખત આઈએમએફ પાસે જવું છે. આઈએમએફ પણ સરકારે આ વસ્તુઓ પર ટૅક્સ વધારવા માટે કહેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનાર શંકાસ્પદ છત્તીસગઢથી પકડાયો

Aman Jaiswal Death: ટીવી અભિનેતાનુ 23 વર્ષની વયે મોત, બલિયામાં થશે અંતિમ સંસ્કાર

Arjun Kapoor ની સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત પડવાથી 6 લોકો થયા ઘાયલ

Breaking સૈફ અલી ખાન પર હુમલાના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે

બચ્ચન પરિવારની 3 પેઢી Kutch ની મુલાકાતે,

વધુ જુઓ..

નવીનતમ

યૂરિક એસિડમાં લાભકારી છે મૂળા, ઉપયોગ પહેલા જ ઓગળવા માંડે છે જોઈંટ્સ પર ચોંટેલા Purine ના પત્થર, જાણો કેવી રીતે કરશો સેવન ?

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝગડાનુ કારણ બને છે આ વાસ્તુ દોષ, જોઈ લેજો ક્યાક તમારા ઘરમાં તો નથી ને ?

આગળનો લેખ
Show comments