Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈમરાન ખાને કહ્યુ - લડાઈ શરૂ થઈ તો ન હુ રોકી શકીશ કે ન તો નરેન્દ્ર મોદી

Webdunia
બુધવાર, 27 ફેબ્રુઆરી 2019 (18:24 IST)
મારા પાકિસ્તાનીઓ આજે હુ આપને કંઈક કહેવા માંગુ છુ.  ગઈકાલે જે થયુ તે સારુ નથી થયુ.. ભારતે પાકિસ્તાનની અંદર હુમલો કર્યો છે. પાકિસ્તાન પણ છેલ્લા 10 વર્ષથી આતંકવાદ સામે લડી રહ્યું છે. અમે હિંદુસ્તાનને કહ્યું હતુ કે કોઇપણ તપાસ ઇચ્છો છો તો અમે તૈયાર છીએ.” તેમણે કહ્યું કે, “પાકિસ્તાનનાં હકમાં નથી કે તેની જમીનનો ઉપયોગ આતંકવાદ માટે થાય. મે કહ્યું હતુ કે તમને જવાબ આપવો એ અમારી મજબૂરી હશે.

ભારતે ગઇકાલે સવારે એક્શન લીધું. અમને ખબર જ ના પડી કે પાકિસ્તાનમાં કેટલું નુકસાન થયું. આજે અમે એક્શન નથી લીધું, અમે ફક્ત અમારી તાકાત બતાવવા ઇચ્છતા હતા. જો તમે અમારા દેશમાં આવી શકો છો તો અમે પણ તમારા દેશમાં આવી શકીએ છીએ.”
 
 પાકિસ્તાનના પ્રધાનમત્રી ઈમરાન ખાને ભારતના બે વિમાનોને પાડવાનો દાવો કરતા કહ્યુ કે જો ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થયુ તો આ કોઈના પણ નિયંત્રણમાં નહી રહે. તેને ન તો હુ રોકી શકીશ કે ન તો ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી.  
 
ઈમરાને દાવો કર્યો કે ભારતના બે મિગ વિમાનોએ આંતરરાષ્ટ્રીય સીમા પાર કરી. અમે તેને પાડી દીધા.  તેમણે કહ્યુ કે અમે જે આજે એક્શન લીધી છે તેનો હેતુ અમારી તાકતને બતાવવાનો હતો. 
પાક પ્રધાનમત્રીએ કહ્યુ કે હુ ભારતને કહેવા માંગુ છુ કે અમે લોકો અક્કલ અને વિશ્વાસથી કામ લઈએ. તેમણે કહ્યુ કે પુલવામાંમાં જે કંઈ થયુ છે ત્યારબાદ ભારત જે દર્દમાંથી પસાર થઈ રહ્યુ છે  તે મને ખબર છે.  ઈમરાન ખાને કહ્યુ કે દુનિયામાં આ પહેલા પણ લડાઈઓ થઈ છે પણ તેની જાણ નથી થઈ કે તે ક્યારે ખતમ થશે. 
પહેલું વિશ્વ યુદ્ધ મહિનાઓમાં પૂર્ણ થવાનું હતુ જેને 6 વર્ષ લાગ્યા હતા. બીજા વિશ્વ યુદ્ધમાં હિટલરે વિચાર્યું કે તે રૂસને જીતી લશે, પરંતુ તેને હારનો સામનો કરવો પડ્યો. આતંક સામેની લડાઈમાં શું અમેરિકાએ વિચાર્યું હતુ કે અફઘાનિસ્તાનમાં તે આટલા લાંબા સમય સુધી ફસાયેલું રહેશે? આવું જ વિયતનામ યુદ્ધમાં પણ ખબર નહોતી કે તે કેટલે દૂર જશે.”
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

યૂરિક એસિડ વધે તો કયા તેલમાં બનાવવી જોઈએ રસોઈ ? જાણો કુકિંગ માટે બેસ્ટ Oil

કુટ્ટી લોટ કાજુ દહી કબાબ રેસીપી

શિંગોડા કોકોનટ બરફી

ટૂંકી બોધકથા- ચિંતા ચિતા સમાન છે

Lipstick Smart Hacks: દિવસભર તમારા હોઠ પર લિપસ્ટિક રહેશે, બસ આ સરળ સ્માર્ટ હેક્સ અજમાવો

વધુ જુઓ..

નવીનતમ

Ujjain - જો તમે ઉજ્જૈન જઈ રહ્યા છો તો આ પ્રખ્યાત દેવી મંદિરોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં, ચૈત્ર નવરાત્રિમાં દરેક મનોકામના પૂર્ણ થશે.

Ajay Devgan Birthday- અજય દેવગન વિશે જાણો ખાસ વાતો

Jokes- એપ્રિલ ફૂલ જોક્સ

ગુજરાતી જોક્સ - ઘઉં વેચવા ગયો

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

આગળનો લેખ
Show comments