Webdunia - Bharat's app for daily news and videos

Install App

મ્યાંમારમાં બૌદ્ધ મઠની શાળા પર સેનાએ હેલીકોપ્ટરોથી કર્યુ ફાયરિંગ, 7 બાળકો સહિત 13ના મોત

Webdunia
મંગળવાર, 20 સપ્ટેમ્બર 2022 (13:05 IST)
મ્યાંમારમાં એક બૌદ્ધ મઠની શાળા પર સેનાએ હેલીકોપ્ટરથી ગોળીબાર કર્યો. ત્યારબાદ સેનાએ ગામમાં ઘૂસીને ફાયરિંગ કર્યુ. તેમા સાત બાળકો સહિત 13 લોકોના મોત થઈ ગયા. 17 અન્ય બાળકો ઘાયલ થઈ ગયા. સેનાનુ કહેવુ છે કે શાળા પર કાર્યવાહી એ કારણે કરવામાં આવી કારણ કે વિદ્રોહી સૈન્ય બળો પર હુમલો કરવા માટે આ શાળાનો ઉપયોગ કરી રહ્યા હતા.   વિદ્રોહી મઠમાં છિપાયા હતા. 
 
શાળા પર હેલીકોપ્ટરો દ્વારા ફાયરિંગ 
 
 સેનાનો આરોપ છે કે વિદ્રોહીઓ ગ્રામીણોનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. મિજીમા અને ઇરાવાડી ન્યૂઝ પોર્ટલએ સોમવારે સ્થાનિક રહેવાસીઓને ટાંકીને જણાવ્યું હતું કે સેનાએ શુક્રવારે મ્યાનમારના સેન્ટ્રલ સગાઇંગ ક્ષેત્રમાં એક ગામડાના બૌદ્ધ મઠની એક શાળા પર હેલિકોપ્ટરથી ફાયરિંગ કર્યું હતું. ગોળી વાગવાથી કેટલાક બાળકોના મોત થયા હતા. આ પછી સેના ગામમાં ઘૂસી ગઈ અને ગોળીબાર કર્યો. આમાં અન્ય બાળકોના મોત થયા હતા.
 
શાળા પર હેલીકોપ્ટરો દ્વારા ફાયરિંગ 
 
સેનાએ આરોપ લગાવ્યો કે વિદ્રોહી ગ્રામીણોને માનવ ઢાલના રૂપમાં ઉપયોગ કરી રહ્યા હતા. મિજિમા અને ઈરાવદી ન્યુઝ પોર્ટલે સ્થાનીક નિવાસીઓના હવાલાથી સોમવારે જણાવ્યુ કે શુક્રવારે મ્યામાંરના મઘ્ય સાગિંગ ક્ષેત્રમાં સેનાએ એક ગામના બૌદ્ધ મઠની શાળા પર હેલીકોપ્ટર દ્વારા ફાયરિંગ કર્યુ. ગોળી વાગવથી કેટલાક બાળકોના મોત થઈ ગયા. ત્યારબાદ સેનાએ ગામમાં ઘુસીને ગોળીબારી કરી. તેમા અન્ય બાળકોના મોત થયા. 
 
હાથ વડે બનાવેલા હથિયાર જપ્ત 
 
સેનાએ કહ્યું છે કે તેણે કાર્યવાહીમાં હાથથી બનાવેલા 16 બોમ્બ અને હથિયારો જપ્ત કર્યા છે. ઈન્ટરનેટ મીડિયા પર પોસ્ટ કરાયેલી તસવીરોમાં ગોળીબારના કારણે લોહીના ડાઘા અને શાળાની ઈમારતને થયેલ નુકસાન જોવા મળે છે. ગયા વર્ષની શરૂઆતમાં સેનાએ ચૂંટાયેલી સરકારને ઉથલાવી હતી. ત્યારથી મ્યાનમાર હિંસાની આગમાં સળગી રહ્યું છે. સશસ્ત્ર બળવાખોરો સેના સાથે લડી રહ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ
Show comments