Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાર્ક સંમેલનમાં એક મંચ પર આવીને પણ મોદી-નવાઝે હાથ ન મિલાવ્યો

Webdunia
બુધવાર, 26 નવેમ્બર 2014 (11:34 IST)
નેપાળમાં બુધવારથી શરૂ થયેલ સાર્ક સંમેલનમાં ભાગ લેવા પહોંચેલ નરેન્દ્ર મોદી અને પાકિસ્તાની પીએમ નવાઝ શરીફનો આમનો-સામનો ન થયો. સંમેલન માટે બંને એક મંચ પર પહોંચ્યા. પણ એકબીજા તરફ જોયા વગર આગળ વધી ગયા. 
        
નેપાળની રાજધાની કાઠમાંડુમાં આજે 18મી દક્ષેમ શિખર બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકની થીમ છે શાંતિ અને સમૃદ્ધિ માટે મજબૂત ક્ષેત્રીય એકીકરણ. આજે 26/11 મુંબઈ આતંકી હુમલાની છઠ્ઠી વરસી પણ છે આશા છે પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી આ શિખર બેઠકમાં પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફની હાજરીમાં મુંબઈ આતંકી હુમલાનો મામલો ઉઠાવશે. 11.30 વાગ્યે પીએમ મોદી સાર્કને સંબોધિત કરશે. 
 
આ પહેલા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુંબઈ હુમ્લામાં માર્યા ગયેલા લોકોને આજે શ્રદ્ધાંજલિ આપી અને લોકોની રક્ષા કરતા શહીદ થયેલા સુરક્ષા કર્મચારીઓને નમન કર્યુ. આતંકી હુમલાની  છઠ્ઠી વરસી પર મોદીએ આતંકવાદ સામે લડવા અને સમાજમાંથી તેને ઉખાડી ફેંકવાની ભારતની પ્રતિબદ્ધતાને દોહરાવી. 
 
18મા દક્ષેસ શિખર સંમેલનમાં ભાગ લેવા ગઈકાલે અહી પહોંચેલા પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કર્યુ. આપણે  2008માં આજના દિવસે ભયાનક આતંકી હુમલાને યાદ કરીએ અને જીવ ગુમાવનારા નિર્દોષ સ્ત્રી-પુરૂષોને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ. પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ. આપણે  તે વીર સુરક્ષાકર્મચારીઓને નમન કરીએ જેમણે એ દિવસે અનેક જીંદગીઓની રક્ષા માટે પોતાનો જીવ કુર્બાન કરી દીધો. તેઓ આપણા અસલી નાયક છે. આજનો દિવસે આતંકવાદ સાથે એક થઈને લડવુ અને તેને સમાજમાંથી ઉખાડી ફેંકવાની આપણી પ્રતિબદ્ધતાની ફરી પુષ્ટિ કરવાની છે. 
 
પાકિસ્તાનમાંથી આવેલ આતંકવાદીઓ દ્વારા 26 નવેમ્બર 2008 ના રોજ મુંબઈમાં કરવામાં આવેલ મોટા આતંકી હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા. અને સેકડો ઘાયલ થયા હતા. દુનિયાભરમાં આ આતંકી કૃત્યની વ્યાપક નિંદા થઈ હતી. સાર્કના બધા આઠ સભ્ય દેશ અફગાનિસ્તાન ,બાંગ્લાદેશ , ભૂટાન, ભારત, માલદીવ ,નેપાળ , પાકિસ્તાન  અને શ્રીલંકાના પ્રતિનિધિ સંમેલનને સંબોધિત કરશે. સાર્કના આ બે દિવસીય સંમેલનમાં અમેરિકા ઓસ્ટ્રેલિયા ચીન યુરોપિયન યુનિયન, ઈરાન . જાપાન. રિપબ્લિક ઓફ કોરિયા. મોરિશંસ અને મ્યાંમારના પર્યવેક્ષક હાજર રહેશે. 
 
આ સંમેલનમાં સાર્ક દેશો વચ્ચે વાહનવ્યવ્હાર વધારવા. વેપાર ઉદારીકરણ. આતંકવાદ વિરુદ્ધ લડાઈ. પર્યાવરણ સંબંધી મુશ્કેલીઓ પર ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય. શિક્ષા અને ઉર્જાના ક્ષેત્રમાં મદદ વધારવા પર પણ જોર આપી શકાય છે.  

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Show comments