મોદી સરકારનું એક વર્ષ પુરૂ થયાની ખુશીમાં આજે મથુરામાં વડાપ્રધાન મોદી એક રેલીનું સંબોધન કરશે. આ રેલીના પ્રારંભ પછી ભાજપ દેશભરમાં 200 રેલીનું આયોજન કરશે. મથુરાના દીન દયાલ ધામ ગ્રાઉનડમાં લગભગ 1 લાખ લોકો ભેગા થવાની શકયતા છે . ભાજપના યૂપીના સૂત્રો કહે છે કે આ રેલીનું પ્રસારણ 130 દેશોમાં કરવામાં આવશે. જેથી અનેક લોકોને પીએમ મોદીના પ્રવચનોના લાભ મળી શકે. પીએમ મોદી 4 વાગ્યાની આસપાસ રેલીને સંબોધશે.
આ રેલીના કારણે સુરક્ષાના કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આ રેલી પંડિત દીન દયાલ ઉપાધ્યાયયના જન્મ સ્થળ મથુરાના નગલા ચંદ્રભાવમાં સાંજે 4 વાગ્યે યોજાશે. જેમાં મોદી લોકોનું સંબોધન કરશે. આ સાથે વન રેંક , વન પેંશાન યોજના પણ આજે જાહેર કરવામાં આવી શકે છે. આ રેલીમાં અમિત શાહની સાથે કેન્દ્ર સરકારના ઘણા પ્રધાનો અને પાર્ટીના નેતાઓ સામેલ થશે. દેશભરમાં 31 મે સુધી જુદા-જુદા કાર્યક્રમો ચલાવવામાં આવશે. એક વર્ષ પોરૂ થતાના અવસરે કેન્દ્રીય પ્રધાનો પાર્ટીના સા5સદો અને પાર્ટીના મુખ્યપ્રધાનો દેશભરમાં 2300 જેટલી મોટી રેલી અને પાંચ હજાર જાહેર સભાનું આયોજન કરશે.