Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chandipura Virus : ચાંદીપુરા વાયરસ શું છે ? જાણો તેના લક્ષણો અને બચવાના ઉપાય

Webdunia
મંગળવાર, 16 જુલાઈ 2024 (09:10 IST)
chandipura virus
Chandipura Virus  - ભારતમાં ચાંદીપુરા વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. જેના કારણે કેટલાક બાળકોના મોત પણ થયા છે. ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ આ વાયરસના કેસ નોંધાયા છે. નિષ્ણાતોનું કહેવું છે કે ચાંદીપુરા વાયરસ ઘણો ખતરનાક છે. તે મગજને નુકસાન પહોંચાડે છે. જો દર્દીને સમયસર સારવાર ન મળે તો મૃત્યુ પણ થઈ શકે છે. આ વાયરસના મોટાભાગના કેસો બાળકોમાં જોવા મળે છે. ચાંદીપુરા વાયરસ સામે રક્ષણ માટે કોઈ રસી નથી. આવી સ્થિતિમાં તેને ખતરનાક માનવામાં આવે છે. બે રાજ્યોમાં કેસ આવ્યા બાદ અન્ય રાજ્યોમાં પણ આ રોગના કેસમાં વધારો થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં નિષ્ણાતોએ લોકોને પ્રોટેક્શન લેવાની સલાહ આપી છે.
 
ચાંદીપુરા વાયરસ શું છે? તેનું નામ કેવી રીતે પડ્યું? જાણો તેના લક્ષણો અને ઉપાય 
 
ચાંદીપુરા વાયરસ શું છે?
ચાંદીપુરા વાયરસ Rhabdoviridae પરિવારનો RNA વાયરસ છે. જેના કારણે બાળકો એન્સેફાલીટીસનો શિકાર બની શકે છે. આ વાયરસ ઘણો જૂનો છે અને ભારતમાં પણ વર્ષ 2003માં તેના કેસ નોંધાયા હતા.  આ રોગ 2 મહિનાથી 15 વર્ષ  સુધીના બાળકોને અસર કરે છે. તેના લક્ષણો સામાન્ય રીતે ઈન્ફલ્યુએન્ઝા જેવા હોય છે, પરંતુ આ રોગ ઓટોઇમ્યુન એન્સેફાલીટીસનું પણ કારણ બને છે. આવી સ્થિતિમાં મૃત્યુ દર 50 થી 70 ટકા છે. એટલે કે જો આ વાયરસ મગજ પર અસર કરે છે તો 100માંથી 50 થી 70 બાળકોના મોત થઈ શકે છે.
 
1965માં પહેલીવાર આ વાયરસના કેસ ભારતમાં આવ્યા હતા અને તેના મોટાભાગના કેસ અહીં જ જોવા મળે છે. વાયરસ વેક્ટર-જન્મિત છે અને એવું માનવામાં આવે છે કે તે સેન્ડફ્લાય ફ્લેબોટોમસ પાપાટાસી દ્વારા પ્રસારિત થાય છે. આ વાયરસ કેટલાક જંતુઓ અને મચ્છરોમાં જોવા મળે છે. જો આ જંતુઓ બાળકોને કરડે તો તે ચેપનું કારણ બને છે. જો કે, આ ચેપ માટે કેટલાક અન્ય કારણો પણ હોઈ શકે છે.
 
ચાંદીપુરા વાયરસ કેવી રીતે ફેલાય છે?
 ખૂબ જ નાની એવી સફેદ માખી દ્વારા આ વાયરસનો ફેલાવો થાય છે. જે જગ્યા પર કાચા મકાનો હોય છે અને ઘરમાં લીપણ કરેલું હોય છે ત્યાં તિરાડોમાં ચાંદીપુરા વાયરસનો ઉપદ્રવ થવાની શક્યતા રહે છે. ચાંદીપુરા વાયરસ ખૂબ જ જીવલેણ સાબિત થાય છે. આ વાયરસનો ભોગ બનેલ મોટાભાગમાં કેસોમાં દર્દી ઓછામાં ઓછા 8 થી 10 કલાકમાં મૃત્યુ પામે છે. ચાંદીપુરા વાયરસથી મગજમાં સોજો સહિતના લક્ષણો આવી જતા હોય છે. આ ઉપરાંત 10 વર્ષથી નીચેના બાળકોમાં આ રોગ પ્રવેશતો જોવા મળે છે. આ કેસમાં ત્રણ ડિગ્રી સુધીનો તાવ રહે છે અને વ્યક્તિની સઘન સારવાર થાય તે પહેલા જ તે જીવલેણ બની શકે છે. આ વાઇરસ સ્વાઇન ફ્લૂના રોગ કરતાં અનેક ગણો ઘાતક અને ખતરનાક છે તેથી તેની પ્રત્યેક પરિવારે તકેદારી રાખવી જોઇએ.
 
ચાંદીપુરા નામ શા માટે પડ્યું ?
 
આ વાયરસની ઓળખ સૌપ્રથમ નાગપુર જિલ્લાના ચાંદીપુરા ગામમાં થઈ હતી. ત્યારથી આ વાયરસને ચાંદીપુરા કહેવામાં આવે છે. શરૂઆતમાં તેના લક્ષણો ફ્લૂ જેવા હોય છે, પરંતુ ધીરે ધીરે આ વાયરસ મગજને નુકસાન પહોંચાડવા લાગે છે. જે મૃત્યુ સુધી દોરી જાય છે. ચાંદીપુરાથી બચવા માટે હજુ સુધી કોઈ વેક્સિન કે ચોક્કસ દવા નથી.
 
દર્દીના લક્ષણોના આધારે જ સારવાર કરવામાં આવે છે. જો આપણે આ વાયરસથી બચવું હોય તો નિવારણ ખૂબ જ જરૂરી છે. કારણ કે જો તેના લક્ષણો સમયસર ન સમજાય અને વાયરસ મગજ પર હુમલો કરે તો દર્દીનો જીવ બચાવવો મુશ્કેલ બની શકે છે. આ વાયરસના કારણે દર્દીની હાલત મગજના તાવ જેવી થઈ જાય છે. આવી સ્થિતિમાં તેનાથી બચવું ખૂબ જ જરૂરી છે.
 
કેવી રીતે કરશો બચાવ 
 
આ રોગથી બચવા માટે, એ મહત્વનું છે કે તમે બાળકોને મચ્છરો અને જંતુઓથી બચાવો. આ માટે ઘરની આસપાસ સ્વચ્છતા રાખો. મચ્છરોને ઉત્પત્તિ ન થવા દો. બાળકોને સંપૂર્ણ બાંયના કપડા પહેરાવવા અને રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરો.  ગામડામાં લીંપણની તિરાડમાં આ માખી રહેતી હોય છે, તેથી ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને જ્યાં આ માખીનો ઉપદ્રવ છે તેવા જિલ્લાઓમાં રહેતા લોકોએ તેમના ઘરના લીંપણને ઉખાડીને બદલી દેવું જોઈએ અથવા તો આ માખીનો નાશ કરવો જોઈએ. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

Pitru paksh 2024 - પિતૃ પક્ષ દરમિયાન આવનારા આ 5 સપના છે ખૂબ જ શુભ, પૂર્વજોના આશીર્વાદ અને જીવનમાં આવનારી સુખ સમૃદ્ધિનો આપે છે સંકેત

આગળનો લેખ
Show comments