Webdunia - Bharat's app for daily news and videos

Install App

Skip Rice For 15 Days - ફક્ત 15 દિવસ ભાત નહી ખાવ તો શરીરમાં થશે આ ફેરફાર, કંટ્રોલમાં રહેશે વજન સહિત અનેક બીમારીઓ

Webdunia
સોમવાર, 25 સપ્ટેમ્બર 2023 (13:37 IST)
No rice diet plan: કેટલાક લોકો ભાત ખાવાની એટલી ટેવ બનાવી લે છે કે તેના વગર તો તેઓ ડાયેટની કલ્પના જ નથી કરી શકતા. પણ ભાત સાથે કેટલીક સમસ્યાઓ પણ આવી શકે છે. જેવી કે તમે ભાત ખાવ છો તો તેનાથી શરીરમાં કાર્બન ડાયોક્સાઈડની માત્રા કેટલી વધુ હોય છે કે તમને ઉંઘ આવવા માંડે છે અને શરીર સુસ્ત થઈ જાય છે. આ ઉપરાંત વધુ ભાત ખાવાથી વજન અસંતુલિત થઈ જાય છે અને જાડાપણુ વધે છે. આટલુ જ નહી ડાયાબિટીસ અને અનેક બીમારીઓ પણ ભાત ખાવાના નુકશાનનો સોદો સાબિત થઈ શકે છે.  તો આવો જાણીએ 15 દિવસ ભાત છોડી દેવાથી શુ અસર થશે.  
 
15 દિવસ ભાત છોડી દેવાની શુ થશે અસર - What happens when you skip rice for 15 days  
 
1. શરીર રહેશે વધુ એક્ટિવ 
15 દિવસ ભાત છોડવાથી તમે અનુભવ કરશો કે તમારુ શરીર બાકીના દિવસોની તુલનામાં વધુ એક્ટિવ થઈ ગયુ છે. સાથે જ તમને ખૂબ ઉંઘ પણ નહી આવે અને તમારી સુસ્તી પણ ઓછી થઈ જશે. આ ઉપરાંત તમારા શરીરમાં અનેક પ્રકારના ફેરફાર અનુભવ કરશો જેવ આ કે તમે સારી રીતે એક્સરસાઈજ કે કોઈપણ શારીરિક ગતિવિધિઓ કરી શકશો અને તમારુ બ્રેન પણ બાકી લોકોની તુલનામાં વધુ એલર્ટ રહીને કામ કરી શકશે. 
 
2. શુગર બેલેંસ થઈ જશે 
શરીરમાં જેટલા વધુ કાર્બ્સ હશે તેને પચાવવા માટે એટ લી વધુ શુગર પ્રોડ્યુસ થશે. તેનાથી તમને શુગર કંટ્રોલ કરવામાં પરેશાનીનો સામનો કરવો પડશે. આ પરેશાની ફક્ત ડાયાબિટીસવાળાની જ નથી પણ થાઈરોઈડ કે પીસીઓડીના દર્દીઓ સાથે પણ જોડાયેલી છે. જેમને શુગર કંટ્રોલ કરવી ખૂબ જરૂરી છે. તો ભાત છોડવો આ બીમારીઓથી બચવા અને તેમને બેલેંસ કરવામાં પણ મદદ કરી શકે છે. 
 
3. ઝડપથી થશે વેટ લોસ 
 
જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો ચોખા છોડવા તમારા માટે મદદરૂપ થઈ શકે છે. વાસ્તવમાં, ચોખાની કેલરી વજનમાં ઝડપથી વધારો કરે છે અને પછી ચયાપચયને પણ ધીમું કરે છે. આવી સ્થિતિમાં, પેટની ચરબી વધે છે જે સ્થૂળતા તરફ દોરી જાય છે. આવી સ્થિતિમાં, તમારું વજન સંતુલિત રાખવા માટે, તમારે 15 દિવસ સુધી ચોખાને છોડી દેવાનો પ્રયાસ કરવો જોઈએ. તમે જોશો કે આનાથી તમારું વજન તો ઘટશે જ પરંતુ વજનનું સંતુલન જાળવવામાં પણ મદદ મળશે. તો આ બધા કારણોસર તમારે 15 દિવસ સુધી ભાત ખાવાનું બંધ કરી દેવું જોઈએ.
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments