Dharma Sangrah

Health Care - જમ્યા પછી કોગળા ન કરીએ તો શું થાય? આ વાત જાણી લો નહીંતર તમે આ 3 સમસ્યાઓનો શિકાર થઈ જશો

Webdunia
શુક્રવાર, 15 સપ્ટેમ્બર 2023 (09:41 IST)
mouth care
Mourth Care Tips - ઘણા લોકોને એવી આદત હોય છે કે તેઓ જમ્યા પછી ક્યારેય મોં ધોતા નથી કે કોગળા કરતા નથી. જ્યારે કે આ આદતો તો આપણા સારા માટે છે અને તેનું પાલન કરવાથી આપણને સ્વસ્થ રહેવામાં મદદ મળી શકે છે. પરંતુ, તમારે સમજવું પડશે કે જમ્યા પછી મોઢું ઘોવું શા માટે જરૂરી છે. તે માત્ર દાંતમાં ફસાયેલી ગંદકીને જ સાફ કરવામાં મદદ નથી કરતું, પરંતુ તે તમને મોઢાને લગતી ઘણી બીમારીઓથી પણ બચાવી શકે છે. આ ઉપરાંત ભોજન કર્યા પછી દર વખતે મોઢું ધોવાના ઘણા ફાયદા છે. આવો, ચાલો આ વિશે વિગતવાર જાણીએ.
 
જમ્યા પછી કોગળા ન કરીએ તો શું થાય? -Why should we rinse our mouth after meal
 
1. દાંતના ઉપરના સ્તર (ઈનેમલ) ને નુકસાન થાય છે
 
જ્યારે આપણે ભોજન કરીએ  છીએ, ત્યારે ખોરાકને પચાવવા માટે લાળ ઉત્પન્ન થાય છે અને તે ખોરાકમાંથી નીકળતી ખાંડ સાથે ભળે છે. બેક્ટેરિયા આ ખાંડને પચાવવા માટે ઉત્સેચકો ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે અને બદલામાં એસિડ અને કચરાના ઉત્પાદનો પાછળ છોડી દે છે જે પ્લાક નામના સ્તરના સ્વરૂપમાં આપણા દાંત પર રહે છે. પ્લાક આપણા દાંતને પીળો રંગ આપે છે. આ ઉપરાંત, તેની એસિડ પ્રોપર્ટી દાંતના ઉપરના સ્તર એટલે કે ઈનેમલને બગાડે છે.
 
2. દાંતમાં સડો થઈ શકે છે
ખાધા પછી મોઢું ન ધોવાથી દાંતમાં સડો થઈ શકે છે. હકિકતમાં બેક્ટેરિયા તમારા દાંતમાં રહેલા ખાદ્ય પદાર્થો પર બેસીને દાંતમાં સડો લાવી શકે છે. આના કારણે, તમને તમારા દાંતમાં ભારે દુખાવો થઈ શકે છે અને તમારા દાંત સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ શકે છે. આ ઉપરાંત જો તે વધી જાય તો તે દાંતના પેઢાને પણ પોલા કરી શકે છે અને તેને બગાડી શકે છે.
 
3.માઉથ ઈન્ફેકશન થઈ શકે છે 
જો તમે જમ્યા પછી મોં ન ધોતા હોય તો તમે મોઢાનાઈન્ફેકશનનો શિકાર પણ બની શકો છો.  ઉલ્લેખનીય છે કે ખોરાક અને તેની સાથે ભળેલા બેક્ટેરિયા સંક્રમણનું કારણ બને છે. તેના કારણે મોઢામાં ફોલ્લાઓ દેખાય છે અને જીભ પર ફોલ્લીઓ થઈ શકે છે. આ ઉપરાંત જમ્યા પછી મોં સાફ કરવા અને કોગળા કરવાથી પણ શ્વાસની દુર્ગંધ દૂર કરવામાં મદદ મળે છે.
 
તેથી, આ સમસ્યાઓથી બચવા માટે, તમારે જમ્યા પછી તમારું મોં સાફ કરવું જોઈએ. ઉપરાંત, તમારે જમ્યા પછી તરત જ લગભગ 3 થી 5 મિનિટ સુધી આ કાર્ય કરવાનો પ્રયાસ કરવો જોઈએ. ઉપરાંત, દરેક ભોજન પછી 3 મિનિટ તમારા દાંત પર બ્રશ જરૂર કરો. આમ કરવાથી તમે ઘણી સમસ્યાઓથી બચી શકો છો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Nitish Kumar Shapath Grahan: નીતિશ કુમારનું નવેમ્બર મહિના સાથે શું છે કિસ્મત કનેક્શન જાણો

અમદાવાદમાં આગામી 5મી ડિસેમ્બરે યોજાશે Ruhaniyat, કલાકારોની કલા દર્શકોને કરશે અભિભૂત

સાડા 4 કલાકમાં બનો AI એક્સપર્ટ, Free મળશે સરકારી સર્ટિફિકેટ, 'Yuva AI For All' કોર્સ થયો લોંચ

Video- દુનિયાની સૌથી મોટી રોટલી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે; તેને ઉપાડવા માટે 12 લોકો લાગે છે

VIDEO: બુમરાહ પર 20 મેચનુ બૈન લગાવો.. ભારતીય ક્રિકેટર પર કેમ ભડક્યો પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર

વધુ જુઓ..

ધર્મ

Vivah Panchami 2025 Date: 24 કે 25 નવેમ્બર ક્યારે છે વિવાહ પંચમી ? જાણી લો સાચી તારીખ અને પૂજા વિધિ

First Wedding Invitation: પહેલું લગ્ન કાર્ડ ભગવાન ગણપતિને જ્ કેમ આપવામાં આવે છે અને તેનું શું મહત્વ છે?

Wednesday Mantra: તમારું કોઇપણ કામ ઝડપથી પાર પાડવા અને અવરોધોથી મુક્તિ માટે બુધવારે કરો ગણેશજીના આ મંત્રોનો જાપ

અમાસના દિવસે શું કરવું જોઈએ

Margashirsha Amavasya- ગ્રહદોષોથી મુક્તિ મેળવવા માટે માર્ગશીર્ષ અમાવાસ્યા પર આ ઉપાયો કરો.

આગળનો લેખ
Show comments