Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health Care : શુક્રાણુઓની સંખ્યા વધારવી હોય તો અખરોટ ખાવ

Webdunia
વૈજ્ઞાનિકોએ એક નવા અભ્યાસમાં દાવો કર્યો છે કે અખરોટ ખાવાથી પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા અને તેની ગુણવત્તા બંને વધી શકે છે. 'કેલિફોર્નિયા યુનિવર્સિટી'ના વૈજ્ઞાનિકોએ 20થી 30 વર્ષની ઉંમરના યુવકોના એક સમૂહને ત્રણ મહિના માટે રોજ 75 ગ્રામ અખરોટ ખાવા કહ્યું. સંશોધકોએ જાણ્યું કે અખરોટ નહીં ખાનારા પુરુષોની તુલનામાં તે ખાનારા પુરુષોના શુક્રાણુઓની સંખ્યામાં અને તેની ગુણવત્તા બંનેમાં વધારો થયો અને તેમના પિતા બનવાની સંભાવનાઓ પણ સારી થઇ.

' ડેલી મેલ'ના સમાચાર અનુસાર સંશોધકોએ અખરોટ એટલા માટે પસંદ કરી કારણ કે તે 'સારા' પૉલી અનસેચ્યુરેટેડ ચરબીનો મુખ્ય સ્રોત છે. અખરોટમાં માછલીમાં રહેલા ઓમેગા-3 અને ઓમેગા-6 પણ પૂરતી માત્રામાં હોય છે. માનવામાં આવે છે કે આ બંને શુક્રાણુના વિકાસ અને તેની કાર્યપ્રણાલી માટે બહુ મહત્વપૂર્ણ હોય છે પણ મોટાભાગના પશ્ચિમી વ્યંજનોમાં આનો અભાવ હોય છે.

દર છમાંથી એક દંપતિને ગર્ભધારણ કરવામાં સમસ્યા નડે છે અને એવું મનાય છે કે આમાંથી 40 ટકા કેસમાં પુરુષોના શુક્રાણુના કારણો જવાબદાર હોય છે. યુસીએલ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના પ્રો. વેન્ડી રોબિન્સનું કહેવું છે કે અભ્યાસમાં સામેલ તમામ 117 લોકો ધૂમ્રપાન ન કરનારા સ્વસ્થ યુવા હતા. પહેલા અમને માલુમ ન હતું કે અખરોટની પ્રજનન ક્ષમતા પર સારી અસર પડશે કે નહીં પણ અભ્યાસ બાદ પરિણામ સકારાત્મક આવ્યા છે.

સંશોધકોએ પુરુષોના શુક્રાણઓની તરવાની ક્ષમતા અને આનુવંશિક ગુણો વગેરે વિષે અભ્યાસ કર્યો. તેમણે જાણ્યું કે અખરોટ નહીં ખાનારાની સરખામણીએ ખાનારાના શુક્રાણુઓની તરવાની ગતિમાં સરેરાશ ત્રણ ટકાનો વધારો થયો હતો. જોકે હજુ પણ આને એક ઇલાજ તરીકે અપનાવતા પહેલા વધુ પરીક્ષણો અને અભ્યાસની જરૂરિયાત છે.

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments