rashifal-2026

Uric Acid: યૂરિક એસિડ દર્દીઓ માટે ખૂબ લાભકારી છે તુલસીના પાન, બસ આ રીતે કરો ઉપયોગ

Webdunia
સોમવાર, 16 જાન્યુઆરી 2023 (17:06 IST)
Tulsi for Uric Acid:  આજકાલ મોટાભાગના લોકો યૂરિક એસિડ (Uric Acid) ની સમસ્યાથી પીડિત છે. દેશમાં તેની સાથે જોડાયેલ સમસ્યા રોજ વધતી જઈ રહી છે.  જો શરીરમાં યૂરિક એસિડની માત્રા વધી જાય તો તેનાથી તમને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.  તેના વધવાથી તમારા સાંધામાં દુખાવો, શરીરમાં સોજો જેવી અનેક સમસ્યાઓ થઈ શકે છે.  જો સમય રહેતા તેને કંટ્રોલ ન કરવામાં આવે તો ભવિષ્યમાં આ મોટી  સમસ્યા બની શકે છે.  આવી સ્થિતિમાં, જો તમે યુરિક એસિડના વધેલા સ્તરને ઓછું કરવા માંગો છો, તો આજે અમે તમને એક આયુર્વેદિક નુસ્ખા વિશે જણાવીશું, જેને અપનાવીને તમે યુરિક એસિડને નિયંત્રિત કરી શકો છો. હા, આ આયુર્વેદિક રેસીપી તુલસીના પાનની છે. જાણો કેવી રીતે તુલસીના પાન યુરિક એસિડને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ કરવાની સાચી રીત પણ જાણો.
 
હાઈ યૂરિક એસિડને કંટ્રોલ કરવામાં લાભકારી માનવામાં આવે છે તુલસીના પાન 
 
ઔષધીય ગુણોથી ભરપૂર તુલસી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં એસોલિક એસિડ, યુજેનોલ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે શરદી, તાવ વગેરે જેવા સામાન્ય રોગોને મટાડવામાં ખૂબ મદદરૂપ છે. પરંતુ શું તમે જાણો છો કે તુલસીમાં શરીરમાંથી યુરિક એસિડને ખતમ કરવાની ક્ષમતા હોય છે. હા, જો તુલસીનું નિયમિત સેવન કરવામાં આવે અને તમારા આહાર પર ધ્યાન આપવામાં આવે તો તુલસી યુરિક એસિડની સમસ્યાને દૂર કરી શકે છે.
 
યૂરિક એસિડના દર્દી આ રીતે યુઝ કરે તુલસીના પાન 
 
યૂરિક એસિડના દર્દી સૌથી પહેલા 5 થી 6 તુલસીના પાનને લઈને પાણીથી ધોઈ લો. 
ત્યારબાદ આ પાનને કાળામરી અને દેશી ઘી સાથે મિક્સ કરીને ખાવ 
 નિયમિત રૂપથી આનો ઉપયોગ કરવાથી તમને ઘણો ફાયદો મળશે. 
 
 પાચન શક્તિ થશે મજબૂત 
 
ઔષધીય ગુણોથી ભરપૂર તુલસીમાં વિટામિન એ, વિટામિન ડી, આયર્ન, ફાઈબર જેવા ઘણા પોષક તત્વો હોય છે. આ તમામ તત્વો પાચનની પ્રક્રિયાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ સિવાય તેમાં એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી એજિંગ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણો જોવા મળે છે. આવી સ્થિતિમાં, જો તુલસીના પાનમાંથી બનાવેલ ઉકાળો દરરોજ પીવામાં આવે તો તે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરશે.
 
બ્લડ સુગરના દર્દીઓ માટે
હેલ્થ એક્સપર્ટ બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે તુલસીના પાન ખાવાની સલાહ આપે છે. કારણ કે તેના પાંદડામાં હાઈપોગ્લાયકેમિક લેવલને કંટ્રોલ કરવાના ગુણ હોય છે જે બ્લડ સુગર લેવલ ઘટાડવાનું કામ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે તુલસીના કેટલાક પાન લો અને તેને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો. પછી બીજા દિવસે સવારે ખાલી પેટે તેનું સેવન કરો. આમ કરવાથી તમને ઘણો ફાયદો થશે.
 
શરદી ખાંસીમા 
શિયાળાની ઋતુમાં તુલસીનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે તેના પાન ચાવવાથી શરદી અને ફ્લૂ દૂર રહે છે. બીજી તરફ જો તમે વારંવાર શરદી અને શરદીની સમસ્યાથી પરેશાન છો તો તુલસીના પાનને નિયમિત રીતે ચાવો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જાપાનમાં બે વાર આવ્યો ભીષણ ભૂકંપ, સુનામીની ચેતાવણી, જાણો કેટલી હતી ભૂકંપની તીવ્રતા

નવજોત કૌર સિદ્ધુને કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ, 500 કરોડ રૂપિયાના નિવેદન પર કાર્યવાહી

ગોવા અગ્નિકાંડના આરોપીઓ દેશ છોડીને થાઈલેન્ડ ફરાર, પોલીસે CBI દ્વારા ઇન્ટરપોલની માંગી મદદ

Khandwa news- દલિત મહિલાને બ્લેકમેલ કરી, તેના પર અનેક વખત બળાત્કાર કર્યો અને ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું

Gold-Silver Price Today: સોના અને ચાંદીના ભાવ વધ્યા છે કે ઘટ્યા છે? આજના ભાવ જાણો.

વધુ જુઓ..

ધર્મ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

Paush Month- પોષ મહિનાનું મહત્વ અને પૌરાણિક કથા

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

આગળનો લેખ
Show comments