Webdunia - Bharat's app for daily news and videos

Install App

તુરિયા છે આ રોગોની રામબાણ દવા- જાણો આ 8 ફાયદા

Webdunia
રવિવાર, 21 જુલાઈ 2019 (09:51 IST)
તુરિયાના શાકથી બધા લોકો પરિચિત હશે. પણ આ શાક શરીરમાં વધતી ગરમી સામે લડવા અને હિમોગ્લોબિનની માત્રાને કાયમ રાખવા માટે ભગવાને આપેલુ સૌથી મોટુ વરદાન છે. આનુ વાનસ્પતિક નામ લુફ્ફા એક્યૂટેંગુલા છે. તુરિયાને આદિવાસી અનેક રીતે રોગપચાર માટે ઉપયોગમાં લે છે. મધ્યભારતના આદિવાસી આને શાકના રૂપમાં પ્રેમથી ખાય છે અને હર્બલ માહિતગાર આને અનેક નુસ્ખોમાં ઉપયોગ પણ કરે છે. ચાલો આજે જાણીએ આવા જ કેટલાક રોચક હર્બલ નુસ્ખાને.. 
1. 500 ગ્રામ તુરિયાને ઝીણા સમારીને 2 લીટર પાણીમાં ઉકાળો. ત્યારબાદ પાણીને ગાળી લો. હવે જે પાણી બચ્યુ હોય તેમા રીંગણા બનાવી લો. રીંગણ બફાય ગયા પછી તેને ઘીમાં સેકીને ગોળ સાથે ખાવાથી બવાસીરમાં થતો દુ:ખાવો ને મસ્સા મટી જાય છે. 
ALSO READ: Home Remedies - ઑષધીય ગુણોથી ભરપૂર વરિયાળી
2. કમળો થતા તુરિયાનો રસ જો રોગીના નાકમાં બે થી ત્રણ ટીપા નાખવામાં આવે તો નાકમાંથી પીળો રંગનો દ્રવ બહાર નીકળે છે. આદિવાસી માને છે કે આનાથી ખૂબ જલ્દી કમળાનો રોગ ખતમ થઈ જાય છે. 
 

3. તૂરિયાને નાના નાના ટુકડામાં કાપીને છાંયડામાં સુકવી લો. સૂકાયેલા ટુકડાને નારિયળના તેલમાં મિક્સ કરીને 5 દિવસ સુધી મુકી રાખો. પછી તેને ગરમ કરી લો. તેલ ગાળીને રોજ વાળ પર લગાવો અને માલિશ પણ કરશો તો વાળ કાળા થઈ જાય છે. 
 
4. તુરિયામાં ઈંસુલિનની જેમ પેપ્ટાઈડ્સ જોવા મળે છે તેથી ડાયાબીટિસ નિયંત્રણ માટે એક સારા ઉપાયના રૂપમાં જોવામાં આવે છે. 
 
5. તુરિયાના પાન અને બીજને પાણીમાં વાટીને ત્વચા પર લગાવ્યા પછી દાદ-ખાજ અને ખુજલી જેવા રોગોમાં આરામ મળે છે. આમ તો આ કોઢના રોગમાં પણ લાભકારી હોય છે. 
6. તુરિયાની વેલને દૂધ કે પાણીમાં ઘસીને 5 દિવસ સુધી સવાર સાંજ પીવાથી પથરીમાં આરામ મળે છે.  
 
7. અપચો અને પેટની સમસ્યાઓ માટે તૂરિયાનુ શાક ખૂબ જ કારગર ઈલાજ છે. ડાંગી આદિવાસીઓ મુજબ કાચુપાકુ શાક પેટનો દુ:ખાવો દૂર કરી દે છે. 
 
8. આદિવાસી માહિતી મુજબ સતત તુરિયાનું સેવન કરવુ આરોગ્ય માટે સારુ રહે છે. તૂરિયાને લોહી સાફ કરવા માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. સાથે જ આ લિવર માટે પણ ગુણકારી છે.  

સંબંધિત સમાચાર

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

આગળનો લેખ
Show comments