rashifal-2026

તુરિયા છે આ રોગોની રામબાણ દવા- જાણો આ 8 ફાયદા

Webdunia
રવિવાર, 21 જુલાઈ 2019 (09:51 IST)
તુરિયાના શાકથી બધા લોકો પરિચિત હશે. પણ આ શાક શરીરમાં વધતી ગરમી સામે લડવા અને હિમોગ્લોબિનની માત્રાને કાયમ રાખવા માટે ભગવાને આપેલુ સૌથી મોટુ વરદાન છે. આનુ વાનસ્પતિક નામ લુફ્ફા એક્યૂટેંગુલા છે. તુરિયાને આદિવાસી અનેક રીતે રોગપચાર માટે ઉપયોગમાં લે છે. મધ્યભારતના આદિવાસી આને શાકના રૂપમાં પ્રેમથી ખાય છે અને હર્બલ માહિતગાર આને અનેક નુસ્ખોમાં ઉપયોગ પણ કરે છે. ચાલો આજે જાણીએ આવા જ કેટલાક રોચક હર્બલ નુસ્ખાને.. 
1. 500 ગ્રામ તુરિયાને ઝીણા સમારીને 2 લીટર પાણીમાં ઉકાળો. ત્યારબાદ પાણીને ગાળી લો. હવે જે પાણી બચ્યુ હોય તેમા રીંગણા બનાવી લો. રીંગણ બફાય ગયા પછી તેને ઘીમાં સેકીને ગોળ સાથે ખાવાથી બવાસીરમાં થતો દુ:ખાવો ને મસ્સા મટી જાય છે. 
ALSO READ: Home Remedies - ઑષધીય ગુણોથી ભરપૂર વરિયાળી
2. કમળો થતા તુરિયાનો રસ જો રોગીના નાકમાં બે થી ત્રણ ટીપા નાખવામાં આવે તો નાકમાંથી પીળો રંગનો દ્રવ બહાર નીકળે છે. આદિવાસી માને છે કે આનાથી ખૂબ જલ્દી કમળાનો રોગ ખતમ થઈ જાય છે. 
 

3. તૂરિયાને નાના નાના ટુકડામાં કાપીને છાંયડામાં સુકવી લો. સૂકાયેલા ટુકડાને નારિયળના તેલમાં મિક્સ કરીને 5 દિવસ સુધી મુકી રાખો. પછી તેને ગરમ કરી લો. તેલ ગાળીને રોજ વાળ પર લગાવો અને માલિશ પણ કરશો તો વાળ કાળા થઈ જાય છે. 
 
4. તુરિયામાં ઈંસુલિનની જેમ પેપ્ટાઈડ્સ જોવા મળે છે તેથી ડાયાબીટિસ નિયંત્રણ માટે એક સારા ઉપાયના રૂપમાં જોવામાં આવે છે. 
 
5. તુરિયાના પાન અને બીજને પાણીમાં વાટીને ત્વચા પર લગાવ્યા પછી દાદ-ખાજ અને ખુજલી જેવા રોગોમાં આરામ મળે છે. આમ તો આ કોઢના રોગમાં પણ લાભકારી હોય છે. 
6. તુરિયાની વેલને દૂધ કે પાણીમાં ઘસીને 5 દિવસ સુધી સવાર સાંજ પીવાથી પથરીમાં આરામ મળે છે.  
 
7. અપચો અને પેટની સમસ્યાઓ માટે તૂરિયાનુ શાક ખૂબ જ કારગર ઈલાજ છે. ડાંગી આદિવાસીઓ મુજબ કાચુપાકુ શાક પેટનો દુ:ખાવો દૂર કરી દે છે. 
 
8. આદિવાસી માહિતી મુજબ સતત તુરિયાનું સેવન કરવુ આરોગ્ય માટે સારુ રહે છે. તૂરિયાને લોહી સાફ કરવા માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. સાથે જ આ લિવર માટે પણ ગુણકારી છે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રોહિત શર્માએ IPL 2026 સીઝનની કરી શાનદાર શરૂઆત, આ બાબતમાં વિરાટ કોહલીને છોડ્યો પાછળ

MI vs KKR IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે 6 વિકેટથી નોંધાવી જીત, કેકેઆરને એકતરફા હરાવ્યું

ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા નોંધણી શરૂ, જાણો બોનસ અને નવા નિયમો

પશ્ચિમ બંગાળમાં જો BJP ની સરકાર બની તો લોકો નોનવેઝ નહિ ખાઈ શકે, બોલી CM મમતા બેનર્જી

'રાહુલ' નીકળ્યો અબ્દુલ, લગ્નની લાલચ આપીને યુવતી સાથે એક વર્ષ સુધી કરતો રહ્યો દુષ્કર્મ, હવે પહોચ્યો જેલમાં

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang- આજનુ પંચાગ - 30 માર્ચ

Somwar Upay: અનંત ત્રયોદશી અને પ્રદોષ વ્રતનાં શુભ સંયોગમાં કરો આ ઉપાય, ધન ધાન્યથી ભરેલા રહેશે ભંડાર

Hanumanji bhog- હનુમાનજીને પ્રિય પ્રસાદ અને ચઢાવવાના નિયમો

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

Kamada Ekadashi Vrat Katha - આ કથા વગર અધુરૂ છે કામદા એકાદશીનુ વ્રત

આગળનો લેખ
Show comments