Festival Posters

#Swine Flu- તુલસી સ્વાઇન ફલૂની કારગર દવા

Webdunia
શુક્રવાર, 25 જાન્યુઆરી 2019 (12:11 IST)
ગુજરાતમાં સ્વાઇન ફ્લૂએ પંજો પ્રસરાવ્યો છે. મેડિકલ સાયન્સમાં તો સ્વાઇન ફ્લૂને કાબૂમાં એન્ટિવાયરલ દવાઓ મોજૂદ છે પણ આર્યુવેદની દ્રષ્ટિએ તુલસી પણ સ્વાઇન ફલૂની સારવારમાં કારગર દવા છે કેમ કે, તુલસીમાં યે એન્ટિવાયરલના ગુણ છે પરિણામે વ્યક્તિના શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે. સ્વાઇન ફ્લૂને આર્યુવેદની ભાષામાં જનપદોધ્વંશ કહે છે. એક કરતાં વધુ લોકોને અસર કરતો હોવાથી આ રોગને જનપદોધ્વંશ કહે છે. જયારે સ્વાઇન ફ્લૂ જેવો રોગ બેકાબૂ બને ત્યારે રોગપ્રતિકારક શક્તિ વધારવી ખૂબ જ હિતાવહ છે.

વસંતઋતુ વખતે તેમાંયે બે ઋતુ ભેગી થતી હોય તે સંજોગોમાં ખાસ કાળજી રાખવા આર્યુવેદના જાણકારોની સલાહ છે. સ્વાઇન ફ્લૂએ સંક્રમક રોગ છે જે વાયરસના માધ્યમથી ફેલાય છે. આવા સંજોગોમાં ઘરનું વાતાવરણ પણ વાયરસથી મુક્ત હોવું જોઇએ.
- ગુગળ, લોબાન,છાણાં , ગાયનું ઘી , ઇલાયચી, જટામાનસી , લિમડો અને કઠઉપલેટ મિશ્રિત ધુપનો ધુમાડો કરવાથી વાયરસનો ફેલાવો અટકે છે.
- સ્વાઇન ફ્લૂને ત્રિદોષકજવર પણ કહે છે કેમકે, વાયુ, પિત અને કફનું સંતુલન ખોરવાતાં વ્યક્તિમાં રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. આમેય બે ઋતુ ભેગી થાય ત્યારે રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે. 
હાલમાં સ્વાઇન ફ્લૂએ ગુજરાતમાં કેર મચાવ્યો છે ત્યારે તુલસીનો ઉકાળો પણ કારગર દવા છે.
- તુલસીના પંદરેક પાનામાં એક ગ્રામ સૂંઠનો પાવડર, પાંચ ગ્રામ ગોળ એક કપ પાણીમાં મિશ્રિત કરીને ચાર-પાંચ ઉભરા આવે તે પ્રમાણે ગરમ કરીને આ ઉકાળો પીવાથી ખૂબ જ ફાયદો થાય છે.
- તુલસીનો ઉકાળો શરદી-સરળેખ અને તાવમાં ખુબ લાભદાયી ઇલાજ છે. સ્વાઇન ફ્લૂ વકર્યો છે ત્યારે લોકોએ અપચો ન થાય અને ઉજાગરા ન કરવા ખાસ સલાહ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Silver Price Hike- ચાંદી 2 લાખને વટાવી જશે! રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે

કંગના રનૌતે લોકસભામાં કહ્યું કે પીએમ મોદી લોકોના દિલ હેક કરે છે, EVM નહી

UNESCO માં દિવાળીનો સમાવેશ, આજે દિલ્હીમાં ફરી ખુશીઓ સાથે દિવાળી ઉજવાશે

ચીનમાં રહેણાંક મકાનમાં આગ લાગી, 12 લોકોના મોત

Goa Night Club- પહેલી નાઈટ શિફ્ટ... અને મૃતદેહ ઘરે પાછો ફર્યો! રાહુલ તંતીના મૃત્યુની કરુણ વાર્તા તમને રડાવી દેશે!

વધુ જુઓ..

ધર્મ

Mahabharat- ગાંધારી કોણ હતી? તેણીએ આંખો પર કાળી પટ્ટી કેમ બાંધી હતી? રહસ્ય જાણો.

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

આગળનો લેખ
Show comments