Dharma Sangrah

Butter તમારા આરોગ્ય માટે છે ગુણકારી, જાણો આ 8 ફાયદા ... .

Webdunia
ગુરુવાર, 8 ઑગસ્ટ 2019 (00:23 IST)
માખણ દરેક ઘરમાં જોવા મળે છે. તેનો ઉપયોગ આપણે ખાવામાં કરીએ છીએ. તેમા કેલોરીઝની માત્રા વધુ હોય છે. 
જો તેને રોજ ખાવામાં આવે તો તેનાથી તમારુ વજન ખૂબ વધી પણ શકે છે.  પરંતુ તેમા એવા કેટલાક ગુણ છે જે 
આપણા આરોગ્ય સારા છે. તેમા વિટામિન અને એટીઓક્સીડેંટ્સ વધુ પ્રમાણમાં રહેલા છે. તેથી આ નાના બાળકોને ઉછેરવા માટે ખૂબ જ લાભકારી છે. જેને લિવર સંબંધી સમસ્યા રહે છે એમને માટે બટરમાં બનાવેલ ખોરાક સુપાચ્ય રહે છે.  આજે અમે તમને માખણથી આરોગ્યને થનારા લાભ વિશે બતાવીશુ. 
1. સારો મૂડ - માખણમાં વધુ પ્રમાણમાં સેલેનિયમ હોય છે.જેને ખાવાથી આપણી નર્વસ સિસ્ટમ સારી રહે છે. જ્યારે આપણે તેન ગરમાગરમ શાકમાં નાખીને ખાઈએ છીએ તો તેને જોતા જ આપણો મૂડ સારો થઈ જાય છે અને શાકનો સ્વાદ પણ વધી જાય છે. 
 
2. થાઈરોઈડ - માખણ થાઈરોઈડ ગ્રંથિને ઠીક કરવા માટે ખૂબ જ લાભકારી છે. કારણ કે તેમા વિટામિન એ ની માત્રા વધુ જોવા મળે છે. જો તમે વિચારો છો કે તેને ખાવાથી તમારુ વજન વધી જશે તો એવુ નથી. 
 
3. મગજનો વિકાસ - માખણ ખાવાથી બાળકોના મગજનો સારો વિકાસ થાય છે અને આંખોની રોશની સારી રહે છે. તેથી તમારા બાળકોને ખાવામાં દૂધ અને માખણ જરૂર આપો. 
 
4. એનર્જી લેવલ વધારે - બટર ખાધા પછી આપણા શરીરમાં ફૈટમાં પરિવર્તિત થાય છે અને જરૂર પડતા તે આપણુ એનર્જી લેવલ વધારે છે.  
 
5. કેંસર અને ટ્યૂમર - માખણમાં એંટીઓક્સીડેંટનું પ્રમાણ વધુ હોય છે અને આ આપણને કેંસર કે ટ્યૂમરથી બચાવે છે. આનો પ્રયોગ એંટી એજિંગ ક્રિમમાં પણ કરવામાં આવે છે. 
 
6. ત્વચામાં ચમક - માખણને ચેહરા પર લગાવવાથી ત્વચા કોમળ બને છે અને ચેહરા પર નિખાર આવે છે. 
 
7. બટર ખાવાથી સારી ઉંઘ આવે છે 
 
જ્યારે પણ તમને કામ કર્યા પછી થાક લાગે ત્યારે આવા સમયે રાત્રે જમવામાં બટર જરૂર લો. તેને ખાવાથી સારી ઉંઘ આવે છે કારણ કે તેમા સેલેનિયમ હોય છે. 
 
8. વિટામીન ડી - માખણમાં વિટામિન ડી નુ પ્રમાણ વધુ જોવા મળે છે. તેથી તેને નાસ્તામાં ન ખાવુ જોઈએ. માખણને ચેહરા પર લગાવવાથી ત્વચા કોમળ બને છે અને ચેહરા પર ગ્લો આવે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ત્રીજી વનડેમાં જયસ્વાલ-રોહિત-વિરાટ ની તોફાની બેટિંગ, ભારતે 2-1 થી જીતી સિરીઝ

IND vs SA 3rd ODI Live: સાઉથ આફ્રિકાએ ભારતને આપ્યો 271 રનનો ટાર્ગેટ

Babri Masjid Event Updates: ''મસ્જિદ તો કોઈપણ બનાવી શકે છે પણ.. બોલી TMC સાંસદ સાયોની ઘોષ

સૂડાનના અર્ધસૈનિક બળો દક્ષિણ-મઘ્ય સૂડાનના દક્ષિણ કિંડરગાર્ટન પર ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલામાં 50 લોકોના મોત થયા છે જેમા 33 બાળકોનો સમાવેશ.

INDIGO સંકટ વચ્ચે વધતા વિમાન ભાડા સામે સરકારની લાલ આંખ, લાગૂ કરી ફેયર લિમિટ

વધુ જુઓ..

ધર્મ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!

આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત

આગળનો લેખ
Show comments