rashifal-2026

સારી ઊંઘ જોઈતી હોય તો દવા નહી આ ઉપાય અજમાવો

Webdunia
બુધવાર, 8 ફેબ્રુઆરી 2017 (11:34 IST)
સારી ઉંઘ લેવી સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. જો ભરપૂર ઉંઘ ન લેવામાં આવે તો શરીર સ્ફૂર્તિલુ નથી રહેતુ. આખો દિવસ માથાનો દુખાવો, બીપી કે થાક જેવી મુશ્કેલી થઈ શકે છે.  આનુ અન્ય ઘણા કારણો હોઈ શકે છે. ખાવા પીવામાં અનિમિતતા, કામમાં વ્યસ્ત રહેવુ કે પછી માનસિક પરેશાની પણ હોઈ શકે છે.  અનેક વાર તો ઉંઘની દવાઓ ખાવાથી પણ આરોગ્યને ખૂબ નુકશાન થઈ શકે છે. જો તમને સારી ઉંઘ નથી આવી રહી તો અમે તમને કેટલાક ઘરેલુ ઉપાય બતાવી રહ્યા છે જેને અપનાવીને તમે ભરપૂર ઉંઘ લઈ શકો છો. 
 
ઘરેલુ ઉપચાર 
 
1.  રાત્રે સૂતા પહેલા પગના તળિયા પર તેલથી માલિશ કરો. તેનાથી સારી ઉંઘ આવશે 
2. ઉંઘ નથી આવી રહી તો થોડીવાર માટે તમારી પસંદનુ મ્યુઝિક સાંભળો કે પછી પુસ્તક વાંચો 
3. રાત્રે ક હા કે કોફી ન પીશો. તેનાથી મગજની શિરાઓ ઉત્તેજીત થઈ જાય છે અને ઉંઘ નથી આવતી. 
4. સૂતા પહેલા પગને હળવા ગરમ પાણીમાં 15-20 મિનિટ માટે ડુબાડી રાખો. 
5. સારી ઉંઘ માટે શવાસન, વજ્રાસન, ભ્રામરી પ્રાણાયમ એવા આસન છે જેને નિયમિત કરવાથી અનિદ્રાની સમસ્યાથી છુટકારો મળી જાય છે. 
6. રાત્રે ગરમ દૂધનુ સેવન કરો અને તનાવથી મુક્ત રહો. 
7. અશ્વગંધા, બ્રાહ્મી, શંખપુષ્પી, શતાવરી, મુલેઠી, આમળા, જટામાસી, ખુરાસાની, અજમો આ બધાને 50 50 ગ્રામ લઈને ઝીણું ચૂરણ બનાવી લો. રાત્રે સૂતા પહેલા 5 ગ્રામ  ચૂરણ દૂધ સાથે લો.  એક અઠવાડિયામાં આની અસર દેખાશે અને તમને ઊંઘ આવશે. 
8. સલાદ સાથે કાચી ડુંગળી ખાવ કે પછી ડુંગળીને સેકીને તેને વાટીને તેનો રસ કાઢી લો અને બે મોટી ચમચી રસ રોજ પીવો. તેનાથી ઉંઘ ન આવવાની ફરિયાદ દૂર થઈ જાય છે. 
9. ગળ્યા પદાર્થો ઉંઘ લાવવામાં સહાયક હોય છે. રોજ રાત્રે સૂતા પહેલા પચાસ ગ્રામ ગોળ કે કોઈ મીઠી વસ્તુ ખાવાથી અનિદ્રાની ફરિયાદ દૂર થઈ જાય છે. પણ ડાયાબિટીસના દર્દીઓએ આ પ્રયોગ ન કરવો જોઈએ. 
10. સૂવાના બે કલાક પહેલા રાત્રે જમી લેવુ જોઈએ. જમીને તરત સુવુ ન જોઈએ અને રાત્રે ખોરાક હળવો હોવો જોઈએ.  તેનાથી તમે આરામથી સૂઈ શકો છો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

50 થી વધુ બોમ્બ બ્લાસ્ટની ધમકીના ઈમેલ મોકલનાર બદમાશને અમદાવાદ પોલીસે પશ્ચિમ બંગાળથી પકડ્યો

ગુજરાતમાં ભૂકંપના આંચકા: કચ્છના ભચાઉમાં 3.4ની તીવ્રતાનો આંચકો

IND vs ENG: Axar Patel એ સેમીફાઈનલમાં પકડ્યા બે મેજિકલ કેચ, ફેંસને આવી કપિલદેવની યાદ, VIDEO ઝડપથી થયો વાયરલ

What A Catch! અક્ષર પટેલે પકડ્યો એક શાનદાર કેચ, જેણે પણ જોયો, બસ જોતા જ રહી ગયા - VIDEO

IND vs ENG 2nd Semi-Final: ટીમ ઈન્ડિયા વિશેની આ 5 સૌથી મોટી બાબત, જેને કારણે ઈંગ્લેન્ડને વર્લ્ડ કપમાંથી થયું બહાર

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થી નાં આ ઉપાય બનાવી દેશે બધા બગડતા કામ, જીવણનાં બધા અવરોધો થશે દૂર

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 6 માર્ચ

ભૂલથી પણ ન કરશો આ 4 લોકોની મદદ ન કરો, જાણો ચાણક્ય નીતિની ચેતવણી

Aaj Nu Gujarati Panchang - આજનું ગુજરાતી પંચાગ- 5 માર્ચ

Holi 2026: ધુળેટીના દિવસે દેવી દેવતાઓની જરૂર કરો પૂજા, ખુશીઓના રંગથી ભરેલું રહેશે જીવણ, ઘરમાં રહેશે સુખ સમૃદ્ધિનો વાસ

આગળનો લેખ