Festival Posters

શુ તમને પણ ગરમીમા થાય છે શરદી-ખાંસી ? પહેલા જાણી લો અસલી કારણ અને પછી કરો ઉપાય

Webdunia
બુધવાર, 10 મે 2023 (13:38 IST)
ગરમીમાં શરદી કેમ થાય છે. ગરમી વધવાની સાથે અચાનક લોકોમાં શરદી-ખાંસીની સમસ્યા વધી જાય છે. પણ શુ તમે વિચાર્યુ છે કે આ સમસ્યા આટલી ઝડપથી કેમ વધી રહી છે. ઉલ્લેખનીય છે કે મેડિકલ ટર્મમાં તેને સમર કોલ્ડ(summer cold and cough)  કહે છે.  આ એંટરોવાયરસ (Enteroviruses)ને કારણે થઈ રહ્યુ છે જે કે આ ઋતુની સંક્રામક બીમારીનુ રૂપ લઈ લે છે. આ ઉપરાંત તેની પાછળ અનેક કારણ છે, તો આવો જાણીએ એ બધા વિશે વિસ્તારથી 
 
મે મહિનામાં શરદી-તાવનુ કારણ - Summer cold causes  
 
1. વાયરલ શિફ્ટના કારણે - Due to viral shift
 જેવી જ ઋતુ ગરમ થાય છે કે મોટાભાગના શરદી પેદા કરનારા વાયરસ શિફ્ટ થઈ જાય છે. એંટરોવાયરસ પણ તેમાથી એક છે. આ વાયરસ ગરમીમાં શરદી થવાનુ મુખ્ય કારણ બને છે. ઉપરી શ્વાસ સાથે જોડાયેલ નળીઓમાં ઈફ્કેશનનુ કારણ બની જાય છે.  જેનાથી આપણુ નાક વહેવા માંડે છે અને ગળામાં ખરાશ થઈ જાય છે. આ ઉપરાંત કેટલાક લોકોમાં આ પેટની સમસ્યાઓને ટ્રિગર કરે છે. 
 
2. શરદી-ગરમીના કારણે  
શરદી ગરમીના કારણે પણ લોકો આ ઋતુમાં શરદી ખાંસીના શિકાર થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે આ તાપમાનમાં થનારા ફેરફાર અને ગેપને કારણે થાય છે. જેવુ કે બહારનુ કંઈક બીજુ અને તમારા શરીરની અંદર કંઈક બીજુ.  આવી સ્થિતિમાં આપણે લાંબા સમય સુધી શરદી-ખાંસીના શિકાર રહી શકીએ છીએ કે પછી તમને આ સમસ્યા વારેઘડીએ થઈ શકે છે 
 
ગરમીમાં શરદી-ખાંસીથી કેવી રીતે કરશો બચાવ 
 
- ગરમીમાં શરદી-ખાંસીથી બચવુ છે તો ઘરની બહારથી આવીને તરત જ ઠંડુ પાણી ન પીશો 
- તાપ અને ગરમીમાંથી આવીને ન્હાવુ ન જોઈએ. 
 - ઘરની બહાર માથુ ઢાંકીને જ નીકળો, જેથી તડકો ડાયરેક્ટ માથા પર ન પડે. 
 - રહી રહીને પાણી પીતા રહો જેથી તમે ડિહાઈડ્રેશનના શિકાર ન બનો. 
 - ડાયેટમાં પાણીથી ભરપૂર ફુડ્સનુ વિશેષ ધ્યાન રાખો. 
 
તો આ રીતે પહેલા તો ગરમીમાં શરદી- તાવથી બચો. ત્યારબાદ જો થઈ જાય તો પુષ્કળ પાણી પીવો અને ડોક્ટરને બતાવીને યોગ્ય દવાઓ લો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

અમેરિકી સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી ભારત પર શુ ખતમ થશે ટૈરિફ ? ડોનાલ્ડ ટ્રંપએ આપ્યો જવાબ

દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટનુ એલર્ટ, આતંકવાદી મંદિરને બનાવી શકે છે નિશાન, લશ્કર-એ-તૈયબા થયુ એક્ટિવ

5,૦૦૦ રૂપિયાની માસિક SIP તમને બનાવશે કરોડપતિ ! એક્સપર્ટે બત્યાવો 2 કરોડ રૂપિયાની મૂડી ઉભી કરવાનો સીક્રેટ ફોર્મૂલા

ફેમસ ક્રિકેટરના છુટાછેડા, રાહુલ ચાહરના તૂટ્યા લગ્ન, સોશિયલ મીડિયા પર જણાવ્યુ કારણ

એક પણ મુસ્લિમ પરિવાર કે મસ્જિદ નહી, ત્યા થયા સેંકડો લગ્ન, હર્ષ સંઘવી બોલ્યા - સલીમને સુરેશ બનીને નહી કરવા દઈએ લગ્ન

વધુ જુઓ..

ધર્મ

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

શનિ ચાલીસા - shani chalisa gujarati

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ.

Astrology Tips: તમારો વ્યવ્હાર જ તમારું ભવિષ્ય બદલી શકે છે, દરેક કામનું મળશે શુભ પરિણામ, જાણો રિસાયેલા ગ્રહોને પ્રસન્ન કરવાનો સહેલો મંત્ર

આગળનો લેખ
Show comments