rashifal-2026

Health Tips - આ લીલી શાકભાજીનાં સેવનથી વધી જશે આંખોની રોશની, ડાયાબીટીસ પણ રહેશે કંટ્રોલમાં, આરોગ્યને મળશે અનેક ફાયદા

Webdunia
બુધવાર, 17 જુલાઈ 2024 (00:07 IST)
ડોકટરો આંખોની રોશની સુધારવા માટે વિટામિન A લેવાની સલાહ આપે છે. ઈમ્યુનીટી વધારવા માટે વિટામિન સીનું સેવન કરવાની ભલામણ કરવામાં આવે છે. આજે  અમે તમને જણાવીએ કે એક એવી શાકભાજી છે જે આ બધા વિટામિન્સથી ભરપૂર છે.  તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને માત્ર એક જ નહીં પરંતુ અનેક ફાયદા થશે. જી મિત્રો અમે પાલક વિશે વાત કરી રહ્યા છીએ...તે એક લીલી શાકભાજી જે વિટામિન A, C અને K તેમજ આયર્ન અને કેલ્શિયમ જેવા ખનિજોથી ભરપૂર છે. ચાલો જાણીએ કે પોષક તત્વોથી ભરપૂર પાલકનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યને શું ફાયદા થશે?
 
આ સમસ્યાઓમાં પાલક છે ફાયદાકારક 
 
- ઈમ્યુન સીસ્ટમ કરે બુસ્ટ - પાલકમાં લ્યુટીન નામનું એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે, જે તમારી આંખોની રોશની સુધારવામાં મદદ કરે છે. તે આંખોના રેટિનાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે.
 
- રોગપ્રતિકારક શક્તિને વધારે છે: પાલકમાં આયર્ન, વિટામિન સી અને ઇ, પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. પૌષ્ટિક આહારના ભાગરૂપે, તે રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે અને પાચન તંત્રને મજબૂત બનાવે છે.
 
- શુગરને કંટ્રોલ કરે છેઃ એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબરથી ભરપૂર પાલક બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમાં હાજર ઉચ્ચ મેગ્નેશિયમ ઇન્સ્યુલિન વધારવામાં મદદ કરે છે, જે તમારા મેટાબોલીઝમને સુધારે છે.
 
- હાડકાંને મજબૂત કરે છે: પાલકમાં રહેલા વિટામિન K હાડકાના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે પાલકમાં પ્રતિ કપ 250 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે અને તે તમારા હાડકાં અને દાંત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
 
- તે ત્વચા અને વાળ માટે પણ લાભકારી -  પાલકનું સેવન કરવાથી તમારી ત્વચા અને વાળને પૂરતું પોષણ મળે છે અને તે સ્વસ્થ બને છે.
 
 કેવી રીતે કરવું પાલકનું સેવન?
તમે પાલકને સલાડના રૂપમાં ખાઈ શકો છો અથવા સ્મૂધીના રૂપમાં પણ માણી શકો છો. તમે તેને સ્વાદિષ્ટ સૂપમાં પણ ખાઈ શકો છો.  પાલક પનીર અથવા પાલક ચાટ જેવી ભારતીય વાનગીઓમાં તેનો ઉપયોગ કરો.  તમે તેને તમારી મનપસંદ વાનગીઓમાં સામેલ કરીને પ્રયોગ કરી શકો છો.
 
 
નોંધ: પાલકને રાંધવાથી તેમાં રહેલા વિટામિન સીની માત્રા ઘટી શકે છે, તેથી મહત્તમ લાભ મેળવવા માટે તેને કાચી અથવા હળવી રાંધીને ખાઓ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મિસ ફાયર કે મર્ડર ? 40 દિવસનાં લગ્નમાં એવું તો શું થયું ? ગુજરાત સાંસદનાં ભત્રીજા અને વહુ કેસમાં ટ્વિસ્ટ

પ્રજાસત્તાક દિન LIVE: કર્તવ્યના પથ પર આજે દુનિયા જોશે ભારતની તાકાત, PM મોદીએ દેશવાસીઓને આપી શુભકામના

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

દિવંગત અભિનેતા ધર્મેન્દ્ર સહીત 5 લોકોને પદ્મ વિભૂષણ, 13 ને પદ્મ ભૂષણ અને 113 ને મળ્યો પદ્મ શ્રી એવોર્ડ

વધુ જુઓ..

ધર્મ

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?

આગળનો લેખ
Show comments