Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ આપ જાણો છો ચોમાસામાં લીલા શાકભાજી કેમ ન ખાવા જોઈએ ?

Webdunia
ગુરુવાર, 30 જૂન 2016 (16:19 IST)
માનસૂન દરમિયાન તમે કંઈ વસ્તુઓ ક્યારે ખાવ છો તેનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ. જો તમે લીલી પત્તેદાર શાકભાજીઓ ખાવાનુ પસંદ કરો છો તો ચોમાસામાં તેને ખાવાથી બચો. આમ તો લીલી શાકભાજીમાં ઘણુ બધુ પોષણ જોવા મળે છે. પણ જો એક્સપર્ટનુ માનીએ તો તેમને ચોમાસામાં ખાવાથી બચવુ જોઈએ. 
 
મૉનસૂન દરમિયાન આ શાકભાજીઓને સારી રીતે સૂર્ય પ્રકાશ નથી મળતો જેને કારણે તેમા કીટાણુઓનો ઢગલો જામી જાય છે.  આ શાકભાજીનુ સેવન કરવાથી આ વાયરસ આપણા શરીરમાં પ્રવેશ કરે છે. જેનાથી આપણને અનેક સંક્રામક બીમારીઓ થઈ જાય છે.  સાથે જ તેનાથી શરીરમાં ઉર્જાનુ સ્તર નીચે જતુ રહે છે અને પાચન તંત્ર ગડબડે છે.  લીલા પાનવાળા શાકભાજી ખાતા પહેલા નળ નીચે ધુઓ અને પછી તેને મીઠુ મેળવેલ પાણીમાં થોડીવાર સુધી પલાડી રાખો.  જેનાથી તેમા રહેલ કીટાણુઓનો નાશ થશે અને આ ખાવાલાયક બનશે.  હવે આવો જાણીએ કે ચોમાસામાં લીલા શાકભાજી કેમ ન ખાવા જોઈએ. 

કીટાણુઓથી ભરેલા હોય છે લીલા શાકભાજી - પાનવાળા લીલા શાકમાં બેક્ટેરિયાનો વસવાટ હોય છે. આ શાકભાજીના પાનમાં પોતાનુ ઘર બનાવી લે છે. અનેક કીટાણું લીલા રંગના હોવાને કારણે પકડમાં આવતા નથી અને તે પેટમાં જતા રહે છે.  જેનાથી પેટમાં સંક્રમણ થઈ જાય છે. 

મોટાભાગની શાકભાજી કીચડમાં ઉગે છે - મોટાભાગના પાનવાળા શાક વરસાદને કારણે કીચડમાં ઉગે છે. જેનાથી તે ખૂબ ખરાબ રીતે સંક્રમિત થઈ જાય છે. જો તેને સારી રીતે ધોઈને ન ખાવામાં આવે તો  તબિયત ખરાબ થઈ જાય છે. 

કારણ કે આ દૂષિત સ્થાન પર મુકવામાં આવે છે - જ્યારે શાકભાજી ખેતરમાંથી કાપવામાં આવે છે તો તેને મંડીમાં ગંદકીથી એક બીજા સ્થાન પર મુકવામાં આવે છે.  જો આ એરિયા સ્વચ્છ નથી તો બીમારી ઉભી થવાના ચાંસ વધી જાય છે. 

કીડા મકોડાનો વાસ -કોબીજ, ફ્લાવર અને બ્રોકલી જેવી લીલી શાકભાજીમાં કીડા-મકોડા એવી રીતે અંદર ઘુસી જાય છે કે તે સ્પષ્ટ જોઈ શકાતા નથી.  આ શાકભાજીને ખાતા પહેલા મીઠાવાળા ગરમ પાણીમાં નાખો ઉકાળો અને પછી બનાવો. 

રંગ ભરવા માટે લગાવાય છે ઈંજેક્શન -  મોનસૂન દરમિયાન શાકભાજીવાળા સારા પૈસા કમાવવા અને શાકભાજીને ગ્રીન બતાડવાના ચક્કરમાં  તેમને રંગથી ભરેલ ઈંજેક્શન લગાવી દે છે.  આ નકલી રંગોની સીધી અસર આપણી રોગ પ્રતિરોધક ક્ષમતા પર પડે છે. જેનાથી શરીરમાં તમામ પ્રકારની બીમારીઓ થઈ જાય છે. 
 
 
મોનસૂનમાં બહાર ખાવાથી રહો સાવધ - જો તમે બહાર ખાવાના શોખીન છો તો શાકભાજીથી બનેલ ડિશ ન ખાશો. અનેક હોટલો અને ઢાબામાં શાકભાજી સારી રીતે ધોવામા નથી આવતી. જેનાથી પેટનુ સંક્રમણ થાય છે. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments