Webdunia - Bharat's app for daily news and videos

Install App

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

Webdunia
શુક્રવાર, 17 મે 2024 (18:45 IST)
High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ સમસ્યા મુખ્યત્વે અતિશય તણાવ અથવા ચિંતાને કારણે થાય છે. આ ઉપરાંત શરીરમાં અસંતુલિત સોડિયમ અને પોટેશિયમની ઉણપને કારણે પણ હાઈપરટેન્શનની સમસ્યા થાય છે. હાઈ બ્લડ પ્રેશરને સાયલન્ટ કિલર પણ કહેવાય છે. હેલ્થ એક્સપર્ટનુ માનીએ તો  હાઈ બ્લડ પ્રેશર દરમિયાન ધમનીઓમાં બીપી ઘણું વધી જાય છે. જો દબાણ લાંબા સમય સુધી ચાલુ રહે તો સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર થાય છે. તેનાથી હાર્ટ એટેક, સ્ટ્રોક અને અન્ય ઘણી બીમારીઓનું જોખમ વધી જાય છે. તેથી, 30 વર્ષની ઉંમર પછી, દરેક વ્યક્તિએ નિયમિત સમયાંતરે હાઈ બ્લડ પ્રેશરની તપાસ કરાવવી જોઈએ. ખાવાપીવાની ટેવ  અને લાઈફસ્ટાઈલમાં પણ મોટા ફેરફારો કરો. આ ઉપરાંત હાઈપરટેન્શનને કંટ્રોલ કરવા માટે આ 5 ટિપ્સ ફોલો કરો. આવો જાણીએ 

તનાવ ન લેશો 
હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા માનસિક તણાવને કારણે થાય છે. તણાવ માત્ર માનસિક સ્વાસ્થ્ય પર જ નહીં પરંતુ શારીરિક સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર કરે છે. આ માટે તણાવમુક્ત રહો. તમે તમારી જાતને વ્યસ્ત રાખીને માનસિક તણાવથી રાહત મેળવી શકો છો. આ સિવાય તણાવમાંથી મુક્તિ મેળવવા માટે યોગ અને ધ્યાનની મદદ પણ લઈ શકાય છે.

વજન કંટ્રોલ કરો 
જો તમે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા ઈચ્છો છો તો જંક ફૂડનું સેવન બંધ કરો. જંક ફૂડના વધુ પડતા સેવનથી વજન વધે છે. એકવાર વજન વધી જાય પછી તેને નિયંત્રિત કરવું સરળ નથી. જેના કારણે હાઈ બ્લડ પ્રેશર સહિત અન્ય ઘણી બીમારીઓ થાય છે. આ માટે વજનને નિયંત્રણમાં રાખો.
 
મીઠુ ઓછુ ખાવ 
મીઠું અને ખાંડનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે. અસંતુલિત સોડિયમ હાઈ બ્લડ પ્રેશરનું કારણ બને છે. આ માટે યોગ્ય માત્રામાં મીઠું ખાઓ. તમે મીઠું અને ખાંડની માત્રા માટે વિશ્વ આરોગ્ય સંસ્થાની સલાહની મદદ લઈ શકો છો. જંક ફૂડમાં સોડિયમનું પ્રમાણ વધુ હોય છે. તેથી જંક ફૂડ ટાળો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

આગળનો લેખ
Show comments