Webdunia - Bharat's app for daily news and videos

Install App

Almonds- બદામ ખાવાના નુકશાન વિશે તમે જાણો છો શું?

Webdunia
મંગળવાર, 30 નવેમ્બર 2021 (08:41 IST)
મગજને તેજ બનાવવા માટે મોટેભાગે લોકોને સવારે પાણીમાં પલાળેલી બદામ ખાવાની સલાહ આપવામાં આવે છે.  બીજી બાજુ બદામ ખાવાથી અનેક હેલ્થ પ્રોબ્લેમ પણ દૂર થાય છે.  ઉલ્લેખનીય છે કે બદામમાં પ્રોટીન, વસા વિટામિન અને મિનરલ અન્ય વગેરે ભરપૂર હોય છે.  કદાચ આ જ કારણ છે કે મોટાભાગના લોકો પોતાની ડાયેટમાં બદામને સામેલ કરે છે.  ઉલ્લેખનીય છે કે જરૂરી નથી કે બદામ બધા જ માટે લાભકારી હોય. કેટલાક લોકો એવા પણ છે જેમને બદામનુ સેવન નુકશાન પહોંચાડી શકે છે. 
 
જો તમે પણ બદામ ખાવ છો તો પહેલા એ જરૂર જાણી લો કે બદામ તમારે માટે લાભકારી છે કે નહી. જેથી તમને પાછળથી કોઈ મુસીબતનો સામનો ન કરવો પડે. આવો જાણીએ બદામ કયા લોકોને નુકશાન પહોંચાડે છે. 
 
1. બ્લડ પ્રેશર - જો તમારુ બ્લડ પ્રેશર હંમેશા હાઈ રહે છે તો બદામથી દૂર રહો. કારણ કે દવાઓ સાથે બદામનુ સેવન નુકશાન પહોંચાડી શકે છે અને સમસ્યા વધી શકે છે. 
 
2. પથરી - કિડની કે ગોલ બ્લેડર પથરી કે તેની સાથે જોડાયેલી અન્ય પ્રોબ્લેમ રહે છે તો બદામ બિલકુલ ન ખાશો. કારણ કે તેમા ઓક્સલેટ વધુ માત્રામાં હોય છે જે તમને નુકશાન પહોંચાડી શકે છે. 
 
3. ડાયજેશન - બદલતી લાઈફસ્ટાઈલમાં ડાયજેશન સાથે જોડાયેલી સમસ્યા મોટાભાગના લોકોને રહે  છે. જો તમને પણ ડાયજેશન સંબંધી સમસ્યા કે એસીડીટી રહે છે તો બદામ બિલકુલ ન ખાશો. કારણ કે બદામમાં ફાયબર વધુ હોય છે.  જેનાથી પરેશાની વધી શકે છે.  
 
4. જાડાપણુ - જો તમે તમારા વધતા વજનથી પરેશાન છો અને બદામ તમારી ડાયેટમાં સામેલ છે તો તેનુ સેવન ન કરો. ઉલ્લેખનીય છે કે બદામમાં કેલોરી અને વસા વધુ હોય છે. આવામાં બદામનું વધુ સેવન કરવાથી જાડાપણુ વધતુ જાય છે. 
 
5. એંટીબાયોટિક મેડિસન - બદલતી જીવનશૈલીમાં કોઈને કોઈ હેલ્થ પ્રોબ્લેમ્બ હંમેશા રહે છે અને દવાઓ છે કે પીછો છોડતી નથી.  જો તમે પણ કોઈ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાને કારણે એંટીબાયોટિક મેડિસિન ખાઈ રહ્યા છો તો બદામનું સેવન ન કરો. 
 
- બદામ હાઈ બ્લડ પ્રેશર માટે પણ સારી હોય છે. બદામનુ સેવન કરવાથી બ્લડમાં અલ્ફા ટોકોફેરોલની માત્રા વધી જાય છે જે કોઈના પણ બ્લડપ્રેશરને કાયમ રાખવા માટે મહત્વપુર્ણ હોય છે. 
 
- રાત્રે પાણીમાં પલાળીને સવારે છાલટા ઉતારીને ખાવી વાંચનારા બાળકો માટે ફાયદાકારી છે. તેનાથી સ્મરણ શક્તિ ઝડપી હોય છે. 
 
- બદામ જમ્યા પછી શુગર અને ઈંસુલિનનુ લેવલ વધતા રોકે છે. જેનાથી ડાયાબિટીસથી બચી શકાય છે.  

સંબંધિત સમાચાર

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આગળનો લેખ
Show comments