Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના પછી હવે સ્વાઈન ફ્લુથી હડકંપ, જાણો H1N1 કોણે માટે જીવલેણ સાબિત થઈ શકે છે ?

સ્વાઈન ફ્લૂ રોગ શું છે?

Webdunia
સોમવાર, 6 જૂન 2022 (12:49 IST)
કોરોના સંક્રમણના વધતા કેસ વચ્ચે કેરલ, UP અને રાજસ્થાનમાં સ્વાઈન ફ્લુથી દર્દીઓના મોતથી હડકંપ મચી  ગયો છે. બીજી બાજુ મધ્યપ્રદેશના ઈદોરમાં 3 લોકો અને ઓડિશામાં પણ 2 લોકો   H1N1 થી સંક્રમિત જોવા મળ્યા છે. દેશભરના અનેક રાજ્યોમાં સ્વાઈન ફ્લુના નવા કેસ મળવાથી દહેશત છે. દર્દીઓમાં કોરોના જેવા જ લક્ષણ નિમોનિયા, શ્વાસ લેવામાં સમસ્યા અને ઓક્સીજનની કમી જોવા મળી રહી છે, જે ખૂબ ખતરનાક સંકેત છે.    
 
સ્વાઈન ફ્લૂ રોગ શું છે?
સ્વાઈન ફ્લૂ એ ખૂબ જ ઝડપથી ફેલાતો ચેપી રોગ છે. સ્વાઈન ફ્લૂ ઈન્ફલ્યુએન્ઝા A ને H1N1 તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ડુક્કર દ્વારા ફેલાતો ખૂબ જ ખતરનાક ચેપી રોગ છે. H1N1 વાયરસ આ રોગથી પીડિત પ્રાણી અથવા મનુષ્યની નજીક આવ્યા પછી માનવ શરીરમાં હાજર માનવ ફલૂના સંપર્કમાં આવે છે. જેના કારણે આ રોગ પ્રાણીઓ દ્વારા માણસોમાં પણ ફેલાય છે.
 
દેશ અને દુનિયામાં સ્વાઈન ફ્લૂ એટલે કે H1N1 નો ઇતિહાસ
સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ 1918માં H1N1 ફ્લૂ વાયરસની પુષ્ટિ કરી હતી. જોકે, 2009માં પ્રથમ વખત વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ સ્વાઈન ફ્લૂને રોગચાળો જાહેર કર્યો હતો.
 
માર્ચ 2009 સ્વાઈન ફ્લૂનો પ્રથમ કેસ મેક્સિકોમાં જોવા મળ્યો હતો, જેના દિવસો પછી ટેક્સાસ અને સધર્ન કેલિફોર્નિયાના શહેરોમાં H1N1 ચેપની પુષ્ટિ થઈ હતી. જોત જોતામાં જ આ રોગ દુનિયાના ઘણા દેશોમાં ઝડપથી ફેલાઈ ગયો.
 
ભારતમાં 2022 પહેલા 2009, 2010, 2012, 2013 અને 2015માં સ્વાઈન ફ્લૂના ચેપના ફાટી નીકળવાના કેસ 5 વખત નોંધાયા છે. આ રોગની ગંભીરતા એ હકીકત પરથી જાણી શકાય છે કે 8 ઓગસ્ટ 2010ના રોજ H1N1 સ્વાઈન ફ્લૂથી દેશમાં એક જ દિવસમાં 1833 લોકોના મોત થયા હતા. એટલું જ નહીં, આ વર્ષે આખી દુનિયામાં આ મહામારીને કારણે લગભગ 2 લાખ લોકોના મોત થયા છે
 
આ ફ્લૂને કેવી રીતે ઓળખશો ?
તીવ્ર તાવ સાથે સતત નાક વહેવું. સામાન્ય તાવની સારવાર લીધા પછી 24-48 કલાકમાં કોઈ રાહત નથી. આ પછી, સ્વાઈન ફ્લૂના લક્ષણ તરીકે તરત જ તેની તપાસ કરાવવી જોઈએ.
 
કોણે માટે સ્વાઈન ફ્લૂ જીવલેણ સાબિત થઈ શકે છે ? 
 
હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે નબળી ઈમ્યુનિટી  ધરાવતા લોકો માટે આ રોગ કોરોના જેટલો જ ખતરનાક છે. કારણ કે આ વાયરસ કોરોનાની જેમ માનવ ફેફસાને પણ નુકસાન પહોંચાડે છે. જ્યારે આ વાયરસ આપણા શરીર પર હુમલો કરે છે ત્યારે શરીરમાં હાજર WBC તેને રોકવાનું કામ કરે છે.
 
બીજી બાજુ  WBC  કમજોર થાય છે. તો  H1N1 અટેકને રોકી શકતો નથી.  આવી સ્થિતિમાં લોકો આ વાયરસનો શિકાર બને છે. જેના કારણે ટીબીના દર્દીઓ, એચઆઈવીના દર્દીઓ, એનિમિયાના દર્દીઓ, વૃદ્ધો, બાળકો, મહિલાઓ, ડાયાબિટીસથી પીડાતા લોકોને સૌથી વધુ તકલીફ પડે છે. આવા લોકો જ્યારે તેનો શિકાર બને છે ત્યારે તેમને તાત્કાલિક સારવારની જરૂર લાગે છે, નહીંતર દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે.

સંબંધિત સમાચાર

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

આગળનો લેખ
Show comments