Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખાલી પેટ રોજ કરો આ પીળા બીજનું સેવન, શુગર થશે કંટ્રોલ,

Webdunia
બુધવાર, 5 જૂન 2024 (06:49 IST)
diabitc control
ખરાબ લાઈફસ્ટાઈલ, અનિયમિત ખાનપાન અને તણાવને કારણે દર પાંચમો વ્યક્તિ ડાયાબિટીસની સમસ્યાથી પીડાઈ રહ્યો છે. ડાયાબિટીસના દર્દીએ પોતાના આહારનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તમારી સહેજ પણ બેદરકારી તમારી બ્લડ સુગર વધારી શકે છે. જેના કારણે તમે બીજી ઘણી ખતરનાક બીમારીઓનો શિકાર બની શકો છો. ડાયાબિટીસની સમસ્યાને જો સમયસર કાબૂમાં લેવામાં ન આવે તો તે ખૂબ જ ખતરનાક બની શકે છે. જેના કારણે શરીરના અનેક અંગો પ્રભાવિત થઈ શકે છે. બ્લડ સુગરને નિયંત્રિત કરવા માટે, તમે ઘણા પ્રકારના ઉપાયો અપનાવો છો. જો તમે ઈચ્છો તો માત્ર મેથીનું સેવન કરીને ડાયાબિટીસને કુદરતી રીતે કંટ્રોલ કરી શકો છો. 
 
 
મેથીના દાણા બ્લડ સુગરને કેવી રીતે નિયંત્રિત કરશે?
ઔષધીય ગુણોથી ભરપૂર મેથીનું આયુર્વેદમાં ઘણું મહત્વ છે. તેમાં સોડિયમ, ઝિંક, ફોસ્ફરસ, ફોલિક એસિડ, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન એ, વિટામિન બી અને વિટામિન સી ઉપરાંત ફાઇબર, પ્રોટીન, સ્ટાર્ચ, ખાંડ, ફોસ્ફોરિક એસિડ જેવા પોષક તત્વો મળી આવે છે. જે બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.  આ સાથે તે હાઈ બ્લડ પ્રેશર અને વધેલા વજનને ઘટાડવામાં પણ મદદ કરે છે.
 
ડાયાબિટીસના દર્દીઓએ આ રીતે કરવું જોઈએ મેથીનું સેવન 
મેથીનું સેવન વિવિધ રીતે કરવામાં આવે છે. તમારા ભોજનમાં બને તેટલો તેનો ઉપયોગ કરો. કોઈપણ પ્રકારની રેસીપી બનાવતી વખતે, તેનો ઉપયોગ ઓછી માત્રામાં કરો.
 
મેથીના દાણાનું પાણી: મેથીના દાણાનું પાણી બ્લડ સુગરને સરળતાથી નિયંત્રિત કરી શકે છે. આ માટે રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી મેથી પલાળી રાખો. બીજા દિવસે તેને ગાળીને ખાલી પેટ પીવો. જો તમે ઈચ્છો તો તેના બીજ જેમ છે તેમ ખાઈ શકો છો અથવા તેને અંકુરિત કરી શકો છો.
 
અંકુરિત મેથી: મેથીના દાણા સામાન્ય રીતે એકદમ કડવા હોય છે. પરંતુ જો અંકુર ફૂટ્યા પછી ખાવામાં આવે તો તેની કડવાશ દૂર થઈ જશે. આ માટે મેથીને પાણીમાં નાખીને આખી રાત પલાળી દો. બીજા દિવસે તેને બહાર કાઢીને કોટનના કપડામાં બાંધી દો. મેથી 1-2 દિવસમાં અંકુરિત થાય છે. દરરોજ સવારે થોડી માત્રામાં તેનું સેવન કરો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હળદર, સૂંઠ અને મેથીના મિશ્રણનો આ રીતે કરશો ઉપયોગ, તો Uric Acid થશે દૂર અને શરદી-ખાંસી થશે છૂમંતર

Monsoon Special- કાંદાના ભજીયાની રેસીપી

ચોમાસામાં મસાલા લોટ અને ચોખાના ડબ્બામાં નહી આવે ભેજ, અપનાવો આ રીત

વરસાદની મજા બની શકે છે સજા, વરસાદમાં નહાવાથી પહેલા જાણી લો આ જરૂરી વાત

Chocolate Pede- ચોકલેટ પેડે'નો સ્વાદ મોંમાં ઓગળી જશે, વાંચો સરળ રેસીપી

વધુ જુઓ..

ધર્મ

Masik Shivratri: માસિક શિવરાત્રીના દિવસે આજે કરો આ સરળ ઉપાયો, લગ્નજીવન સુખી રહેશે, આર્થિક તંગી થશે દૂર

Jagannath Rath Yatra 2024: ભગવાન જગન્નાથનુ મહાપ્રસાદ માટીના વાસણમાં શા માટે બને છે

સ્વપ્નમાં ભગવાન કૃષ્ણને દેખાય તે કઈ વાતનો સંકેત છે? કનૈયાને જુદી જુદી પરિસ્થિતિઓમાં જોવાનો અર્થ જાણો

Sanatan - ભોજનના સમયે પહેલુ ગ્રાસ કોના માટે કાઢવુ જોઈએ જાણો શું કહે છે શાસ્ત્ર

Dashama Vrat 2024 Date- દશામા વ્રત ક્યારે છે

આગળનો લેખ
Show comments