Festival Posters

વ્રત/ઉપવાસ કરવાના આ 9 ફાયદા જાણીને ચોંકી જશો

Webdunia
ગુરુવાર, 6 ઑક્ટોબર 2016 (12:18 IST)
વ્રત કે ઉપવાસ કરવો એને સામાન્ય રીતે શ્રદ્ધા અને ભક્તિ સાથે જ જોડીને જોવામાં આવે છે.  બીજી બાજુ કેટલાક એવા પણ લોકો છે જે એવુ સમજીને વ્રત કરે છે કે આ બહાને તેમનુ વજન ઓછુ થઈ જશે પણ ખૂબ ઓછા લોકો જાને છેકે વ્રત કરવુ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારી છે. 
 
વ્રત કરવાથી શરીરની અંદર રહેલા ઝેરીલા પદાર્થો સાફ થઈ જાય છે.  આ સાથે જ પાચન ક્રિયા પણ પહેલા કરતા સારી થઈ જાય છે. 
 
આ છે એ 9 કારણો જેના આધાર પર આપણે કહી શકીએ છીએ કે વ્રત કરવાથી વય વધે છે. 
 
1. વ્રત કરવા દરમિયાન ફેટ બર્નિંગ પ્રોસેસ ઝડપી થઈ જાય છે. જેનાથી ચરબી ઝડપથી પીઘળવી શરૂ થઈ જાય છે. 
 
2. ફેડ સેલ્સ લૈપ્ટિન નામનુ હાર્મોન સ્ત્રાવિત કરે છે. વ્રત દરમિયાન ઓછી કેલોરી મળવાથી લૈપ્ટિનની સક્રિયતા પર અસર પડે છે અને વજન ઓછુ થાય છે.  
 
3. વ્રત દરમિયાન કેટલાક જરૂરી પોષક તત્વોને લેવા જરૂરી છે. નહી તો વ્રત કરવુ તમારી માટે તકલીફદાયક બની શકે છે. વ્રત પછી તમે જ્યારે પણ કશુ ખાવાનો પ્રયત્ન કરો તો કોશિશ કરો કે તે ફેટથી ભરેલુ ન હોય પણ પૌષ્ટિક હોય.. નહી તો વજન ઘટવાને બાલે વધશે. 
 
4. વ્રત કરવાથી નવી રોગ પ્રતિરોધક કોશિકાઓ બનવામાં મદદ મળે છે. યૂનિવર્સિટી ઓફ સાઉથ કૈલીફોર્નિયાના વિશેષજ્ઞોનુ માનીએ તો કૈસરના દર્દીઓ માટે વ્રત કરવુ લાભકારી હોય છે. ખાસ કરીને એ દર્દીઓ માટે જે કીમોથેરેપી લઈ રહ્યા છે. 
 
5. જરૂરી નથી કે જ્યારે કોઈ ધાર્મિક અવસર હોય તો જ તમે વ્રત કરો. શરીરની અંદરની ગંદકીને સાફ કરવા અને પાચનક્રિયાને સારી બનાવવા માટે તમે ક્યારેય પણ સુવિદ્યામુજબ વ્રત કરી શકો છો. 
 
6 . અનેક અભ્યાસોમાં જોવા મળ્યુ છે કે થોડા સમય માટે વ્રત કરવાથી મેટાબૉલિક રેટમાં 3 થી 14 ટકા વધારો થાય છે. જો ખરેખર આવુ છે તો તેનાથી પાચનક્રિયા અને કૈલોરી બર્ન થવામાં ઓછો સમય લાગશે. 
 
7. વ્રત કરવાથી મગજ પણ સ્વસ્થ રહે છે. વ્રત કરવાથી ડિપ્રેશન અને મસ્તિષ્ક સાથે જોડાયેલ અનેક સમસ્યાઓમાં ફાયદો થાય છે. 
 
8. વ્રત કરવા દરમિયાન તમને એ વાતનો પણ અંદાજ થઈ જાય છે કે તમારુ ખાવુપીવુ કેટલુ અયોગ્ય છે. 
 
9. આજના સમયમાં તણાવ એક ખૂબ મોટી મેડિકલ પ્રોબ્લેમ છે. વ્રત કરવાથી તણાવમાં ઘટાડો થાય છે.  
વધુ જુઓ..

જરૂર વાંચો

કાકીની હત્યા: ભત્રીજા શિવ પૂજાને નફરત કરતો હતો, તેને ગોળી મારીને સીધો પોલીસ સ્ટેશન ગયો.

અમદાવાદમાં T20 વર્લ્ડકપ ફાઈનલ પૂર્વે કરોડોના સટ્ટાનો પર્દાફાશ: 2 ઝડપાયા, 46 વોન્ટેડ

વિદ્યાર્થીના હૃદયમાં પાંચ વાર છરી ઘા, અનેક હુમલાઓમાં તેનું મોત

ઈરાન યુદ્ધને કારણે ભારતને ભારે નુકસાન થયું; દુબઈ બંદર પર શાકભાજી અને ફળો સડી ગયા, 1000 કન્ટેનર ડિલિવરીની રાહ જોઈ રહ્યા છે

પંજાબના લગ્નનો વીડિયો વાયરલ, વેઈટર નહીં પણ રોબોટ પીરસતો હતો

વધુ જુઓ..

ધર્મ

શ્રી ગણેશ સંકટનાશમ સ્તોત્ર - પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ (સાંભળો વીડિયો) -

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થી નાં આ ઉપાય બનાવી દેશે બધા બગડતા કામ, જીવણનાં બધા અવરોધો થશે દૂર

Aaj nu panchang - આજનુ પંચાગ- 6 માર્ચ

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

આગળનો લેખ
Show comments