rashifal-2026

સવારે ખાલી પેટ ગોળ અને સેકેલા ચણા ખાવાથી આરોગ્યને મળશે જોરદાર ફાયદા

Webdunia
બુધવાર, 25 સપ્ટેમ્બર 2024 (00:48 IST)
jaggery and dried chickpeas
ગોળ ચણા ખાવામાં સ્વાદિષ્ટ તો લાગે જ છે. સાથે જ આ પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદરૂપ છે. ગોળ અને ચણાનુ સેવન કરવાથી દાંત અને હાડકા ને પણ મજબૂત બનાવી શકાય છે.  ગોળ એંટીઓક્સીડેંટ   અને સેલેનિયમ જેવા પોષકતત્વોથી ભરપૂર હોય છે જે સ્વાસ્થ્ય માટે લાભકારી માનવામાં આવે છે.  આ ઉપરાંત ગોળ અને ચણા બંને હિમોગ્લોબિન વધારવાનું કામ કરે છે. ગોળ શરીરમાંથી હાનિકારક ઝેરી તત્વોને બહાર કાઢીને લીવરને સાફ કરવામાં મદદ કરી શકે છે. જ્યારે ચણાને કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, ફાઇબર અને વિટામિન બી સહિત અન્ય ઘણા પોષક તત્વોનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. દરરોજ ગોળ અને ચણા ખાવાથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકાય છે. આજે અમે તમને ગોળ અને ચણાના ફાયદા વિશે જણાવીશું.
 
ગોળ-ચણાનુ સેવન કરવાથી મળનારા બીજા ફાયદા 
 
ઈમ્યુનિટી બનાવે મજબૂત - ઈમ્યુનિટીને મજબૂત બનાવવા માટે ગોળ અને ચણા ખૂબ લાભકારી માનવામાં આવે છે. ગોળ અને ચણા  બંને  પોષક તત્વોથી ભરપૂર હોય છે. જે ઈમ્યુનિટીને મજબૂત બનાવવામાં મદદરૂપ માનવામાં આવે છે.  
 
હાડકા બનાવે મજબૂત - હાડકાને મજબૂત બનાવવા માટે રોજ ગોળ અને ચણાનુ સેવન કરો. ગોળ અને ચણામા કેલ્શિયમના ગુણ સારી માત્રામાં જોવા મળે છે જે હાડકાને કમજોર થવાથી બચાવવામાં મદદ કરી શકે છે. 
 
મગજ બનાવે સ્ટ્રોંગ - ગોળ અને ચણામાં વિટામિનની વધુ માત્રા જોવા મળે છે. જે મગજને તેજ કરવામાં મદદ કરી શકે છે.  બાળકોને ગોળ અને ચણાનુ સેવન કરવાથી તેમનુ મગજ સારુ ચાલે છે.  ચણા મેમોરી માટે સારા માનવામાં આવે છે.  
 
વધતા વજન પર લગાવે  બ્રેક - જો તમે જાડાપણાથી ત્રસ્ત છો તો તમે સેકેલા ચણા ખાવા જોઈએ. સેકેલા ચણા વધતા વજનને કંટ્રોલ કરવા માટે લાભકારી માનવામાં આવે છે.  ચણામાં ફાઈબરના ગુણ જોવા મળે છે.  જે તમને લાંબા સમય સુધી પેટ ભરેલુ રાખવાનો એહસાસ કરાવે છે. જેથી તમે વધુ ખાવાથી બચી શકો છો.  
 
કબજિયાત કરે કંટ્રોલ - કબજિયાતની સમસ્યા વધી જવાથી આ ખૂબ પરેશાની ઉભી કરી શકે છે. ગોળ અને ચણાનુ સેવન કરવાથી  પેટ સંબંધી અનેક સમસ્યાઓથી બચી શકાય છે. ગોળ અને ચણામાં રહેલા ફાઈબરના ગુણ પાચન તંત્રને યોગ્ય બનાવવામાં મદદ કરી શકે છે. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જાપાનમાં બે વાર આવ્યો ભીષણ ભૂકંપ, સુનામીની ચેતાવણી, જાણો કેટલી હતી ભૂકંપની તીવ્રતા

નવજોત કૌર સિદ્ધુને કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ, 500 કરોડ રૂપિયાના નિવેદન પર કાર્યવાહી

ગોવા અગ્નિકાંડના આરોપીઓ દેશ છોડીને થાઈલેન્ડ ફરાર, પોલીસે CBI દ્વારા ઇન્ટરપોલની માંગી મદદ

Khandwa news- દલિત મહિલાને બ્લેકમેલ કરી, તેના પર અનેક વખત બળાત્કાર કર્યો અને ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું

Gold-Silver Price Today: સોના અને ચાંદીના ભાવ વધ્યા છે કે ઘટ્યા છે? આજના ભાવ જાણો.

વધુ જુઓ..

ધર્મ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

Paush Month- પોષ મહિનાનું મહત્વ અને પૌરાણિક કથા

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

આગળનો લેખ
Show comments