Webdunia - Bharat's app for daily news and videos

Install App

સવારે ખાલી પેટ દૂધ પીવું લાભકારી કે નુકશાનદાયક ? જાણો દૂધ પીવાનો યોગ્ય સમય અને સાચી રીત

Webdunia
સોમવાર, 22 જુલાઈ 2024 (00:34 IST)
આપણે બધા જાણીએ છીએ કે દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, તે પોતાનામાં એક સુપરફૂડ છે. દૂધ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં કેલ્શિયમ, પ્રોટીન અને હેલ્ધી ફેટ જેવા આવશ્યક બહુ-પોષક તત્વો મોટી માત્રામાં જોવા મળે છે. દૂધ પીવાથી નબળા હાડકાંમાં જીવન આવે છે અને સ્નાયુઓ મજબૂત બને છે. શરીર એક્ટીવ રહે છે અને મન પણ તેજ બને છે. તેમાં રહેલા વિટામિન ડી મગજની કાર્યપ્રણાલીને સુધારે છે.  પરંતુ ઘણા લોકોના મનમાં આ સવાલ આવે છે કે શું તેઓ સવારે ખાલી પેટ દૂધનું સેવન કરી શકે છે? તો ચાલો જાણીએ કે દૂધ પીવાનો યોગ્ય સમય કયો છે?
 
તમે સવારે દૂધ પીઓ છો કે રાત્રે એ તમારી વ્યક્તિગત પસંદગી હોઈ શકે છે.  તમને જણાવી દઈએ કે, સવારે ખાલી પેટ દૂધ પીવું એ વ્યક્તિના સ્વાસ્થ્યની સ્થિતિ અને દૂધના પ્રકાર પર પણ આધાર રાખે છે.
 
સવારે દૂધ પીવાના ફાયદા:
સવારે દૂધ પીવાથી તમારી પાચનક્રિયા સારી થાય છે. સવારે દૂધ પીવાથી નબળા હાડકાંમાં જીવન આવે છે અને માંસપેશીઓ મજબૂત બને છે.  તેમજ જે લોકો પોતાનું વજન વધારવા માંગે છે તેઓએ સવારે દૂધ ચોક્કસ પીવું જોઈએ.
 
સવારે દૂધ પીવાના નુકશાન 
કેટલાક લોકોને દૂધમાંથી લેક્ટોઝની સમસ્યા થઈ શકે છે, જે પેટમાં દુખાવો, ઝાડા અથવા ગેસનું કારણ બની શકે છે. ખાલી પેટ દૂધ પીવાથી એસિડિટી કે પેટમાં બળતરા થઈ શકે છે. જે લોકો ખાલી પેટ દૂધ પીવા ઈચ્છે છે તેમણે ગરમ દૂધને બદલે ઠંડુ દૂધ પીવું જોઈએ જેથી તે પાચન તંત્ર અને એસિડિટીને લગતી સમસ્યાઓ ન સર્જે.
 
જાણો દૂધ પીવાનો યોગ્ય સમય અને રીત  
તમે સવારે દૂધ પી શકો છો પરંતુ તે પીતા પહેલા કેટલાક ફળો અથવા નાસ્તો લો. દૂધ ક્યારેય ખાલી પેટે ન પીવો, પણ તેને ભોજન સાથે પીવો. ઓછી ચરબીવાળું અથવા સ્કિમ્ડ દૂધ પીવું વધુ સારું છે, ખાસ કરીને જો તમારે વજન ઘટાડવાની હોય અથવા જો તમે હાર્ટના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છો. રાત્રે સૂતા પહેલા દૂધ પીવું પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે તેનાથી ઊંઘ સારી આવે છે.  જો તમે રાત્રે હળદર નાંખીને ગરમ દૂધ પીશો તો વધુ લાભકારી સાબિત થશે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

Pitru paksh 2024 - પિતૃ પક્ષ દરમિયાન આવનારા આ 5 સપના છે ખૂબ જ શુભ, પૂર્વજોના આશીર્વાદ અને જીવનમાં આવનારી સુખ સમૃદ્ધિનો આપે છે સંકેત

આગળનો લેખ
Show comments