Webdunia - Bharat's app for daily news and videos

Install App

Coronavirus Drug: કોરોનાની સારવારમાં અસરકારક ઔષધિ સાબિત થઈ શકે છે અશ્વગંધા

Webdunia
મંગળવાર, 19 મે 2020 (20:11 IST)
વિવિધ દેશોના વૈજ્ઞાનિકો કોરોના વાયરસને કારણે ફેલાયેલા વિશ્વવ્યાપી રોગચાળા માટે કોઈ ઉપાય શોધવામાં લાગ્યા છે. તેના વેક્સીનને લઈને સંશોધન અને ક્લિનિકલ ટ્રાયલ્સમા પણ સકારાત્મક પરિણામો સામે આવી રહ્યા છે.  બીજી બાજુ પહેલાથી ઉપલબ્ધ દવાઓ અને ઔષધિઓમાં પણ તેના સારવારની શક્યતાઓ શોધવામાં આવી રહી છે.  આ દરમિયાન સારા સમાચાર છે કે આયુર્વેદિક ગુણોથી ભરપૂર અશ્વગંધા કોરોના વાયરસ સંક્રમણ વિરુદ્ધ કારગર સાબિત થઈ શકે છે.  આઈઆઈટી દિલ્હી  અને જાપાનના એક પ્રૌદ્યોગિકી સંસ્થાને અનુસંધાનમાં જોયુ છે કે અશ્વગંધા કોવિડ 19 સંક્રમણ વિરુદ્ધ ઉપચાર સાથે જ તેની રોકથામ કરનારી પ્રભાવી ઔષધિ સાબિત થઈ શકે છે. 
 
શોધકર્તાના  મુજબઅશ્વગંધા અને પ્રોપોલિસ એટલે મધપુડાની અંદર મળનારા  મીણના મોમી ગુંદરમાં કુદરતી સંયોજનમાં કોવિડ -19 અવરોધક દવા બનવાની સંભાવના છે. આઈઆઈટી દિલ્હીના બાયોટેકનોલોજી વિભાગનાપ્રમુખ ડી સુંદરના કહેવા મુજબ, સંશોધન ટીમમાં સામેલ વૈજ્ઞાનિકોએ સંશોધન દરમિયાન મોટી સંભાવના જોઇ છે 
 
ડી.સુંદરે જણાવ્યા મુજબ, વૈજ્ઞાનિકોએ વાયરસની પ્રતિકૃતિ બનાવવા માટે  મુખ્ય ભૂમિકા ભજવનારા સાર્સ-કોવિડ-2 એન્ઝાઇમને લક્ષ્ય બનાવ્યું, જે વાયરસની નકલ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તેમણે કહ્યું કે સંશોધન પરિણામો એન્ટી કોવિડ -19 દવાઓના પરીક્ષણ માટે જરૂરી સમય અને ખર્ચની બચત કરી શકે છે. આ સાથે તેઓ કોરોના રોગચાળાના સંચાલનમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
 
વૈજ્ઞાનિકોએ અશ્વગંધા અને પ્રોપોલિસની વધુ ક્લિનિકલ ટ્રાયલ્સ લેબોરેટરીમાં કરવાની જરૂર છે. ડી.સુંદરના જણાવ્યા મુજબ દવા વિકસાવવામાં થોડો સમય લાગી શકે છે. અશ્વગંધા અને પ્રોપોલિસ વર્તમાન પરિસ્થિતિમાં અસરકારક સાબિત થઈ શકે છે.
 
જાપાનની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઔદ્યોગિક વિજ્ઞાન અને ટેકનોલોજી (એઆઈએસટી) દ્વારા આઈઆઈટી દિલ્હીના સહયોગથી આ સંશોધન કરવામાં આવ્યું હતું. આયુષ મંત્રાલયના નિર્દેશન પર અન્ય દવાઓ સાથે અશ્વગંધામાં કોરોના નિવારણની આશા શોધવા માટે સંશોધન કરવામાં આવી રહ્યું છે.

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments