Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ પીળા બીજને રાત્રે પાણીમાં પલાળીને સવારે કરો સેવન, શુગર સહિતની આ બીમારીઓ થશે કંટ્રોલ

Webdunia
શુક્રવાર, 15 માર્ચ 2024 (07:15 IST)
મેથીના દાણાનું સેવન કરીને તમે તમારા શુગર લેવલને કંટ્રોલ કરી શકો છો, આવો જાણીએ કે ડાયાબીટીસના દર્દીઓએ મેથીના દાણાનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ. ખરાબ લાઈફસ્ટાઈલ અને ખોટા ખાનપાનને કારણે લોકો બ્લડ સુગરનો શિકાર બની રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં 10માંથી 4 લોકો ડાયાબિટીસથી પીડિત છે. ડાયાબિટીસની સમસ્યા લાઈફસ્ટાઈલ સંબંધિત રોગ છે જેનો કોઈ કાયમી ઈલાજ નથી. તે ફક્ત કંટ્રોલ કરી શકાય છે. ડાયાબિટીસના દર્દીઓએ તેમના બ્લડ શુગર લેવલને હંમેશા કંટ્રોલમાં રાખવું જોઈએ, નહીં તો તેઓ અન્ય ઘણી ગંભીર બીમારીઓનો ભોગ બની શકે છે. આવી સ્થિતિમાં, ભગવાન સિવાય, તમે તેને નિયંત્રિત કરવા માટે ઘરેલું ઉપચાર પણ અજમાવી શકો છો. બાબા રામદેવના જણાવ્યા અનુસાર, તમે મેથીના દાણાનું સેવન કરીને તમારા શુગર લેવલને કંટ્રોલ કરી શકો છો, ચાલો તમને જણાવીએ કે તેના દર્દીઓએ મેથીનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ.
 
 
કેવી રીતે અસરકારક છે મેથીના દાણા ?
મેથીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, જે શરીરમાં કાર્બોહાઈડ્રેટ્સને શોષીને સુગર લેવલને કંટ્રોલ  કરવામાં મદદ કરે છે. તેમજ મેથી શરીરમાં ઈન્સ્યુલિનની માત્રા વધારે છે, તેથી ડાયાબિટીસના દર્દીઓએ તેનું સેવન કરવું જોઈએ. મેથીનું પાણી ટાઇપ-2 ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે.
 
આ સમસ્યાઓમાં પણ તે અસરકારક છે
મેથી સ્લો મેંટાબોલીઝમ ને વધારે છે, જેથી  લોકોને પોતાના વજનને ઝડપથી  ઘટાડવામાં મદદ મળે  છે. મેથીનું પાણી પીવાથી એસિડિટી અને કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે. જો તમને અલ્સરની સમસ્યા હોય તો મેથી પેટના અલ્સરથી પણ રાહત આપે છે. પેટની પથરીથી પીડિત લોકો માટે આ સંજીવની  સમાન  છે, મેથીની ચા પીવાથી પથરીની સમસ્યા દૂર રહે છે.
 
કેવી રીતે કરશો ઉપયોગ ?
મેથીના દાણાને અડધો ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી મુકો. સવારે ઉઠીને સૌથી પહેલા આ પાણી પીવો અને પછી મેથીના દાણા ચાવીને ખાવ. આનાથી તમને થોડા દિવસોમાં ઘણો ફાયદો થશે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Vinayak Chaturthi 2025: આજે વિનાયક ચતુર્થીનું વ્રત, જરૂર કરો આ ઉપાયો , વિધ્નહરતા ગણેશ બધી મુશ્કેલી કરશે દૂર

Maha Kumbh Stampede Prayagraj - ઝુંસીની હકીકત કેમ છિપાવી રહ્યુ છે કુંભ વહીવટીતંત્ર ? પ્રયાગરાજ મહાકુંભની બીજી નાસભાગનો ખુલાસો

Basant Panchami 2025 Wishes & Quotes in Gujarati: વસંત પંચમીના શુભ અવસર પર સગાસંબંધી અને મિત્રોને મોકલો વસંત પંચમીની શુભેચ્છા

કિન્નર અખાડાની મોટી એક્શન, મમતા કુલકર્ણી-લક્ષ્મી નારાયણને મહામંડલેશ્વર પદ પરથી હટાવ્યા

આગળનો લેખ
Show comments