સ્વાસ્થ્ય લાભ લેવા તેમજ સ્વાસ્થ્યની રક્ષા માટે પંચકર્મા ચિકિત્સા પદ્ધતિ પ્રયોગમાં લાવવામાં આવી છે. પંચકર્મ વિધિથી શરીરને ઝહેરીલા તત્વો વડે મુક્ત કરી શકાય છે. આનાથી શરીરની બધી જ શીરાઓની સફાઈ થઈ જાય છે. પંચકર્મ પદ્ધતિ દ્વારા રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે. સાધારણથી લઈને ગંભીર બિમારીઓમાં પણ આ પદ્ધતિ ખુબ જ ફાયદાકારક સિદ્ધ થઈ છે.
સ્વાસ્થ્યની રક્ષા માટે મનુષ્યોમાં દિનચર્યા, ઋતુચર્યા અને વેગાવરોધાદિ જેવી અસાધારણ પંચકર્મ પણ કરવામાં આવે છે. પંચકર્મ દ્વારા રસાયણાદિ અસાધારણ ગુણની પ્રાપ્તિ પણ કરવામાં આવે છે. રસાયણ અને વાજીકરણ આયુર્વેદનું વિશિષ્ટ તંત્ર છે. રસાયણ પ્રાપ્તિ વડે સ્વાસ્થ્ય પ્રત્યેનો ઉત્સાહ જળવાઈ રહે છે જ્યારે કે વાજીકરણમાં યૌન સંબંધ અને સંતાનોત્પત્તિની શક્તિ વધી જાય છે.