Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ યોજના હેઠળ ગુજરાત સરકાર મહિલાઓને દર મહિને આપશે 1250 રૂપિયા, જાણો કેવી રીતે કરશો અરજી

Webdunia
શુક્રવાર, 26 ઑગસ્ટ 2022 (10:32 IST)
ગુજરાત સરકારે રાજ્યની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. જેમાં વિધવા સહાય યોજનાનો પણ સમાવેશ કરાયો છે. હવે સરકારે આ યોજનાનું નામ બદલીને ગંગા સ્વરૂપા યોજના કરી દીધું છે. જે અંતર્ગત વિધવા મહિલાઓને દર મહિને 1,250 રૂપિયાની રકમ આપવામાં આવશે. જણાવી દઈએ કે ગુજરાત સરકારે એપ્રિલ 2019 થી માસિક પેન્શનની રકમ 1,000 રૂપિયાથી વધારીને 1,250 રૂપિયા કરી દીધી છે. જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોવ, તો તેની સાથે સંબંધિત તમામ માહિતી નીચે આપવામાં આવી છે.
 
ગુજરાત ગંગા સ્વરૂપ પેન્શન યોજનાની પાત્રતા
18 થી 60 વર્ષની વયજૂથની મહિલાઓને વિધવા સહાય યોજનાનો લાભ મળશે.
આ યોજનાનો લાભ માત્ર ગુજરાતના કાયમી રહેવાસીને જ આપવામાં આવશે.
જો અરજદાર મહિલાએ તેના પતિના મૃત્યુ પછી બીજા લગ્ન કર્યા હોય તો તેને આ યોજનાનો લાભ નહીં મળે.
તમને જણાવી દઇએ કે અરજદાર મહિલાને પહેલાથી જ વૃદ્ધાવસ્થા પેન્શન યોજના જેવી અન્ય કોઈ યોજનાનો લાભ મળતો ન હોવો જોઇએ. 
 
ગુજરાત ગંગા સ્વરૂપ પેન્શન યોજના માટે જરૂરી દસ્તાવેજ
આધાર કાર્ડ વય પ્રમાણપત્ર
આવક પ્રમાણપત્ર
પતિનું મૃત્યુ પ્રમાણપત્ર
બેંક પાસબુક
 
ગુજરાત ગંગા સ્વરૂપ પેન્શન યોજના માટે કેવી રીતે કરશો અરજી
તમને જણાવી દઈએ કે ગુજરાત ગંગા સ્વરૂપ યોજનાનું અરજીપત્ર ઑફલાઇન મોડમાં સબમિટ કરવામાં આવે છે.
યોજનાની સત્તાવાર વેબસાઇટ પરથી આ ફોર્મ ડાઉનલોડ કર્યા પછી, તેની પ્રિન્ટ-આઉટ લો.
પછી તેમાં પૂછવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક ભરો.
આ પછી તેની સાથે તમામ દસ્તાવેજો જોડો.
પછી તમે સામાજિક સુરક્ષા કચેરીમાં ફોર્મ સબમિટ કરો.
સંબંધિત અધિકારી અરજદારના દસ્તાવેજો અને અરજી ફોર્મની ચકાસણી કરશે અને પછી ઉમેદવારને સામાજિક સુરક્ષા વિભાગ તરફથી મંજૂરી પ્રમાણપત્ર મળશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિ સાથે જોડાયેલો મોટો ખુલાસો, જાણો કોણ છે અને આરોપી ક્યાંનો છે

સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિની થાણેથી ધરપકડ કરવામાં આવી, આરોપીએ ગુનો કબૂલ્યો.

અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનાર શંકાસ્પદ છત્તીસગઢથી પકડાયો

Aman Jaiswal Death: ટીવી અભિનેતાનુ 23 વર્ષની વયે મોત, બલિયામાં થશે અંતિમ સંસ્કાર

Arjun Kapoor ની સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત પડવાથી 6 લોકો થયા ઘાયલ

વધુ જુઓ..

નવીનતમ

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

યૂરિક એસિડમાં લાભકારી છે મૂળા, ઉપયોગ પહેલા જ ઓગળવા માંડે છે જોઈંટ્સ પર ચોંટેલા Purine ના પત્થર, જાણો કેવી રીતે કરશો સેવન ?

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝગડાનુ કારણ બને છે આ વાસ્તુ દોષ, જોઈ લેજો ક્યાક તમારા ઘરમાં તો નથી ને ?

આગળનો લેખ
Show comments