Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરત એરપોર્ટ પર પાણી ભરાવાને કારણે ફ્લાઇટ લપસી, 47 મુસાફરોનો આબાદ બચાવ

Webdunia
સોમવાર, 1 જુલાઈ 2019 (12:12 IST)
ભોપાલથી સુરત આવી રહેલી ફ્લાઇટ સુરત એરપોર્ટનાં રન વે પર ઉતરીને લપસીને બહાર જતી રહી હતી. જેના કારણે 47 મુસાફરો, બે પાયલોટ અને ચાર ક્રૂ મેમ્બરનો આબાદ બચાવ થયો હતો. આ બાદ રનવેને બંધ કરી દેવાયો હતો. ત્રણથી વધુ ફ્લાઇટોને ડાયવર્ટ કરાઈ હતી. એરપોર્ટ આસપાસ ભારે વરસાદ પડી રહ્યો હતો. એરપોર્ટમાં પણ પાણી ભરાઇ ગયા હતા જેને કારણે ફ્લાઇટના સ્કીડની આ ઘટના બની હોવાનું માનવામાં આવે છે.આ ઘટનામાં કોઈ જાનહાનીનાં સમાચાર નથી. પરંતુ અચાનક મુસાફરોને ઝટકો લાગતાં મુસાફરોએ ફ્લાઇટમાં બૂમાબૂમ કરી દીધી હતી.

આ આકસ્મિક ઘટનાને પગલે એરપોર્ટ ઓથોરિટીએ તરત જ રન વે એક કલાક માટે બંધ કરી દીધો હતો અને બીજી ફલાઈટોને અન્ય શહેરો તરફ વાળી હતી. મોડી સાંજ પછી સુરતમાં વરસાદ પડી રહ્યો છે અને વેસુ વિસ્તારમાં એરપોર્ટ નજીક ભારે વરસાદ હોવાને કારણે ફ્લાઇટ રન-વે પરથી લપસી ગઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Sugar Vs Jaggery: સ્વાસ્થ્ય માટે શુ સારુ છે ખાંડ કે ગોળ ? જાણો તેના ફાયદા

શું રાણા સાંગાએ પત્ર લખીને બાબરને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું?

બર્મી પોટેટો કરી રેસીપી

ચિકન લોલીપોપ chicken lollipop recipe

બોધ વાર્તા- નોટબુકનો પુનઃઉપયોગ:

વધુ જુઓ..

નવીનતમ

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

જાણીતા સાઉથ એક્ટર અભિનેતા-દિગ્દર્શકનું નિધન, 48 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, સિનેમા જગતમાં શોક

આગળનો લેખ
Show comments