Webdunia - Bharat's app for daily news and videos

Install App

રેલવેએ પોતાની આવક વધારવા નુર દરમાં 19 ટકાનો વધારો

Webdunia
બુધવાર, 24 ઑગસ્ટ 2016 (11:34 IST)
માલભાડામાં સતત થઇ રહેલા ઘટાડાને કારણે સંઘર્ષ કરી રહેલા રેલ્વેએ આવક વધારવાનુ નવુ મોડલ અપનાવ્યુ છે. રેલ્વેએ કોલસાના નુર દરમાં 19 ટકા સુધીનો વધારો કરતા મોંઘવારી ભડકે તેવી શકયતા છે. આના કારણે સિમેન્ટ અને વિજળી કંપનીઓના નફામાં પણ ઘટાડો થવાની શકયતા છે. રેલ્વેના આ નિર્ણય બાદ સતત વધી રહેલી મોંઘવારી હજુ વધે તેવી શકયતા છે. માલભાડામાં આ વધારાની સીધી અસર મોંઘવારી ઉપર જોવા મળશે. રેલ્વેએ અંતર ઉપર આધારીત તેના કોલસાના નુરમાં સ્લેબ પ્રમાણે સુધારા અમલી બનાવ્યા છે. જેના ભાગરૂપે કોલસાના નુર દરમાં વધારો 8 થી 14 ટકાનો રહેશે. આનાથી રેલ્વેની આવક વધશે.
 
   રેલ્વેએ કહ્યુ છે કે, અંતરના સ્લેબમાં ફેરફાર કરીને કોલસાના દરને વધુ તર્ક-સંગત બનાવવામાં આવ્યા છે. આનાથી કોલ ઇન્ડિયા, કોલસા આધારીત પાવર પ્લાન્ટ, મેટલ કંપનીઓ ઉપર પણ અસર થશે. એનટીપીસી દ્વારા ચલાવાતા કોલસા આધારીત પાવર પ્લાન્ટ ઉપર અસર થશે. કોલસાની સાથે સિમેન્ટ અને વિજળી કંપનીઓના નફા ઉપર પણ અસર થશે. રેલ્વેએ કહ્યુ છે કે, 100 કિ.મી.ના વધુ અંતર પર નવા દરો લાગુ થશે. હવે 55 રૂ. પ્રતિ ટનના દરથી કોલ ટર્મીનલ ચાર્જ પણ લાગશે. આ ચાર્જ લોડીંગ અને અનલોડીંગ ટર્મીનલ બંને પર કોલના ટેરીફ ઉપર લગાવાયો છે.

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

આગળનો લેખ
Show comments