Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાવનગર બોટાદના લોકોને મળી દિવાળી ભેટ, અમદાવાદ-ભાવનગર વચ્ચે દોડશે ઈન્ટરસિટી

Webdunia
શુક્રવાર, 21 ઑક્ટોબર 2022 (09:03 IST)
ધનતેરસના પર્વથી અમદાવાદ-ભાવનગર વચ્ચે ઈન્ટરસિટી ટ્રેન દોડતી થઈ જશે, આ અંગેની જાહેરાત બુધવારે સાંસદ ડૉ. ભારતીબેન શિયાળે કરી હતી. આ ટ્રેન એક પ્રકારે ભાવનગર અને બોટાદના લોકો માટે દિવાળીની ભેટ સમાન છે. શનિવારે એટલે કે ૨૨ ઓક્ટોબરના રોજ સવારે ૧૦ કલાકે ભાવનગર રેલવે સ્ટેશન પરથી આ ઈન્ટરસિટી ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવશે.
 
આ અંગે માહિતી આપતા ડૉ. ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે, ‘અમદાવાદથી ભાવનગર જવાના માર્ગ પર ઘણીવાર જબરદસ્ત ટ્રાફિક જામ જાેવા મળે છે. આટલું જ નહીં આ રોડ પર જીવલેણ અકસ્માત થયો હોવાના કિસ્સા પણ આપણે જાેયા છે’. તેથી, આ ટ્રેન ન માત્ર મુસાફરોના સમયની બચત કરશે પરંતુ અકસ્માતની સંખ્યામાં પણ ઘટાડો થશે. અમદાવાદ અને બોટાદ વચ્ચે જે ગેજ કન્વર્ઝનનું કામ ચાલી રહ્યું હતું તે હવે પૂરું થઈ ગયું છે.
 
અમદાવાદ-ભાવનગર ઈન્ટરસિટી ટ્રેન તાત્કાલિક ધોરણે શરૂ કરવા માટેની માગણી કરવા માટે બુધવારે ડૉ. ભારતીબેને કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને દર્શનાબેન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમની વિનંતી સ્વીકારવામાં આવી હતી અને ધનતેરસથી જ ટ્રેન શરૂ થઈ જશે તેમ કહેવામાં આવ્યું હતું. અમદાવાદ-ભાવનગર ઈન્ટરસિટી ટ્રેન રવિવારે એટલે કે ૨૩ ઓક્ટોબરથી મુસાફરો માટે શરૂ થઈ જશે. ટ્રેન વહેલી સવારે ૬.૧૦ કલાકે ભાવનગરથી ઉપડશે અને ૧૦ કલાકે અમદાવાદના સાબરમતી સ્ટેશને પહોંચશે.
 
આ ટ્રેન ફરી સાંજે ૪ કલાકે ત્યાંથી ઉપડશે અને ૮ કલાકે ભાવનગર પહોંચાડશે. આ સિવાય, ઢસા-જેતલસર લાઈનમાં લુણધરા સુધીનું ઈન્સપેક્શનનું કામ પૂરું થઈ ગયું છે. બાકીનું કામ પૂરું થતાં ટૂંક સમયમાં ઢસા-જેતલસર બ્રોડગેજ લાઈન પણ શરૂ થશે. ભાવનગરમાં હવે એકપણ નેરોગેજ કે મીટરગેજ ટ્રેન નથી. તમામ ટ્રેન બ્રોડગેજ લાઈન થઈ ગઈ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Waqf Board શું છે, તેના અધિકારો ક્યારે અને કેવી રીતે વધ્યા? મોદી સરકાર કેમ લાવી રહી છે નવું બિલ, જાણો બધુ

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ભારતની શાનદાર જીત, હવે ફાઈનલમાં આ ટીમ સાથે થશે મુકાબલો

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

આગળનો લેખ
Show comments