Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ એરપોર્ટ ૧૫ વર્ષ માટે ખાનગી કંપનીને સોંપાશે

Webdunia
શનિવાર, 17 માર્ચ 2018 (12:21 IST)
અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના ખાનગીકરણની પ્રક્રિયાનો પ્રારંભ ૨૦૧૩માં થયો હતો પરંતુ પાંચ વર્ષ બાદ પણ આ ગૂંચનો છેડો મળી શક્યો હોય તેમ જણાતું નથી. અમદાવાદ એરપોર્ટના ઓપરેશન્સ-મેઇન્ટેનન્સનું ખાનગીકરણ કરવાની પ્રક્રિયા ફરી એકવાર લંબાવાઇને ૧૦ એપ્રિલ કરવામાં આવી છે. ખાનગીકરણ માટે બીડ રજૂ કરવાની તારીખ લંબાવવામાં આવી હોય તેવું છેલ્લા પાંચ વર્ષમાં ૧૨થી વધુ વખત બની ચૂક્યું છે. આ અંગે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન ગુરુપ્રસાદ મોહાપાત્રાએ જણાવ્યું હતું કે, 'એરપોર્ટના ખાનગીકરણમાં રસ ધરાવતા બિડર્સને કેટલાક મુદ્દાઓને લઇને સવાલો હતા.

આ સવાલના સંતોષકારક ઉકેલ માટે ઓપરેશન્સ એન્ડ મેઇન્ટેનન્સ એગ્રિમેન્ટના ડ્રાફ્ટમાં કેટલાક ફેરફાર પણ કરવામાં આવ્યા છે.' સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ એરપોર્ટનું ઓપરેશન્સ-મેઇન્ટેનન્સ હવે ૧૦ને સ્થાને ૧૫ વર્ષ માટે ખાનગી કંપનીને સોંપાશે. ખાનગીકરણની મુદ્દતમાં વધારો થતાં હવે વધુ કંપનીઓ રસ દાખવી શકે છે. બિડર્સને જે બાબતમાં સૌથી વધુ સવાલ સતાવતો હતો તેમાં પ્રદર્શન આધારીત નાણાકીય વળતર, કેપિટલ એક્સપેન્ડિચર, માલિકીનું માળખું કેવું રહેશે તેનો સમાવેશ થાય છે. આ વર્ષના અંત સુધીમાં અમદાવાદ એરપોર્ટનું ઓપરેશન્સ-મેઇન્ટેનન્સ ખાનગી કંપીનીને સોંપી દેવાય તેની પૂરી સંભાવના છે.

સંબંધિત સમાચાર

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments