Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં કૌભાંડી નીરવ મોદીના કરોડોના વ્યવહારોની તપાસમાં ED, CBI, IT બાદ DRI જોડાઈ

કૌભાંડી નીરવ મોદી
Webdunia
ગુરુવાર, 22 ફેબ્રુઆરી 2018 (16:38 IST)
પંજાબ નેશનલ બેંકનો કૌભાંડી નીરવ મોદી, તેના મામા અને ગીતાંજલિ જેમ્સના માલિક મેહુલ ચોકસીની સામે સુરતમાં સાત જગ્યાઓ પર તપાસ હાથ ધરવામાં આવી છે. નીરવ મોદી અને મેહુલ ચોકસીના કેસમાં રોજ નવી એજન્સીઓ તપાસમાં જોતરાઈ રહી છે. ઇડી, આઇટી અને સીબીઆઇ બાદ હવે ડીઆરઆઇની ટીમ પણ તપાસમાં જોડાઇ છે. સાતેય સ્થળો પરથી કરોડો રૂપિયાના હીરા અને ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે નીરવ મોદીની પાંચ કંપનીઓ સીઝ કરવામાં આવી છે. 

અધિકારીઓએ સેઝમાં આવેલી નીરવ મોદીના પાંચેય યુનિટ કે જ્યાં અગાઉ ઇડી તપાસ કરી ચૂકી હતી ત્યાં ફરી એકવાર  તપાસ કરી છે. ઇડીએ જ્યાં સ્ટોક સીઝર પર ધ્યાન આપ્યુ હતું, ત્યાં ડીઆરઆઇએ આયાત-નિકાસના ડોક્યુમેન્ટ ચકાસ્યા હતા. કેટલો રફ ડાયમંડનો જથ્થો આવ્યો અને ગયો એનો હિસાબ કાઢવાના પ્રયાસ શરૂ કર્યા હતા. એક ટીમ હજી આ કાગળોની ચકાસણી કરી રહી છે. દરમિયાન ગીતાંજલિની મહિધરપુરા અને વરાછામાં આવેલી બે ઓફિસ પર પણ તપાસ કરાઈ છે. જેમાં આયાત-નિકાસ સંબંધિત ડોક્યુમેન્ટ રાખવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે. ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા સાત જગ્યાએ તપાસ શરૂ કરવામાં આ‌વી છે. જેમાં મહિધરપુરાની યુનિટ પર આઇટી પણ તપાસ કરી રહ્યુ છે. સાતેય સ્થળો પરથી આયાત-નિકાસ સંબંધિત કરોડોના ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા હોવાનું અધિકારી સૂત્રો જણાવી રહ્યા છે. મોટાપાયે ડયૂટી ચોરી કરવામાં આવી છે. સેઝની યુનિટમાંથી 1200 કરોડના ડાયમંડ બારોબાર લોકલ માર્કેટમાં વેચી દેવાયા છે. તેની જગ્યાએ હલકી કક્ષાના ડાયમંડ એક્સપોર્ટ કરાયા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

આગળનો લેખ
Show comments